બિહાર ચૂંટણીઃ દરેક પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવાનું તેજસ્વી યાદવનું વચન | મુંબઈ સમાચાર
નેશનલ

બિહાર ચૂંટણીઃ દરેક પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવાનું તેજસ્વી યાદવનું વચન

પટનાઃ જો તેમના પક્ષના વડપણ હેઠળનું ઇન્ડિ (કોંગ્રેસના નેતૃત્વ હેઠળના ગઠબંધન) બ્લોક બિહારમાં સત્તામાં આવશે તો તેઓ એક નવો કાયદો લાવશે. આ કાયદા અનુસાર રાજ્યના દરેક પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવામાં આવશે. આ ચૂંટણી વચન આરજેડી નેતા તેજસ્વી યાદવે બિહારવાસીઓને આપ્યું હતું.

એક પત્રકાર પરિષદમાં આ જાહેરાત કરતાં યાદવે જણાવ્યું કે પ્રસ્તાવિત કાયદો નવી સરકારની રચનાના ૨૦ દિવસની અંદર લાવવામાં આવશે. ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાને જણાવ્યું કે એનડીએ ૨૦ વર્ષમાં યુવાનોને રોજગાર આપવામાં નિષ્ફળ રહ્યું છે. અમે સત્તામાં આવ્યાના ૨૦ દિવસની અંદર કાયદો લાવીશું અને ૨૦ મહિનામાં તેનો અમલ સુનિશ્ચિત કરવામાં આવશે.

આપણ વાંચો: હાર ચૂંટણી સ્પેશિયલઃ રામવિલાસ પાસવાનને શ્રદ્ધાંજલિ આપી તેજસ્વી યાદવે આપ્યા મોટા સંકેતો?, જાણો નવી અપડેટ

૩૫ વર્ષીય નેતાએ જણાવ્યું કે મેં છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં પણ સરકારી નોકરીઓનું વચન આપ્યું હતું. મારા સત્તાના ટૂંકા કાર્યકાળ દરમિયાન પાંચ લાખ નોકરીઓ પૂરી પાડવામાં આવી હતી. તમે કલ્પના કરી શકો છો કે જો મને પાંચ વર્ષનો કાર્યકાળ મળ્યો હોત તો શું શક્ય બન્યું હોત.

ઇન્ડિ બ્લોકના મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર તરીકે ઉભરેલા યાદવે વારંવાર નીતીશ કુમાર સરકારને ‘કોપીકેટ'(નકલ કરનાર) ગણાવી હતી. તેમણે કહ્યું કે તાજેતરના મહિનાઓમાં લેવામાં આવેલા કેટલાક લોકપ્રિય પગલાં આરજેડી નેતાના અગાઉના ચૂંટણી વચનોથી પ્રેરિત હોવાનું જણાઇ રહ્યું છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button