નેશનલ

‘પ્રાણ પ્રતિષ્ઠાના લાઈવ પ્રસારણ પર તમિલનાડુ સરકારની રોક’: નિર્મલા સીતારમણનો દાવો

અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને હવે 24 કલાકથી પણ ઓછો સમય બાકી રહ્યો છે. તમામ વિધિઓ અને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ આ બધાની વચ્ચે નિર્મલા સીતારમણના દાવાના કારણે રાજકારણ પણ ગરમાયું છે.

કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે મોટો દાવો કર્યો છે અને તમિલનાડુ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું છે કે રાજ્ય સરકારે રામ મંદિરના અભિષેક સમારોહનું જીવંત પ્રસારણ (Ram Mandir Live telecast) જોવા પર પ્રતિબંધ મૂક્યો છે. જો કે તમિલનાડુના મંત્રીએ નાણામંત્રીના દાવાને નકારી કાઢ્યા છે.

જ્યારે વિપક્ષે આ કાર્યથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે, ત્યારે શાસકપક્ષ એટલે કે ભાજપ સતત વિરોધ પક્ષો પર પ્રહારો કરી રહ્યું છે. હવે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે તમિલનાડુ સરકાર પર મોટો આરોપ લગાવ્યો છે. સીતારમણે કહ્યું છે કે તમિલનાડુ સરકારે રામ મંદિર ઉદ્ઘાટન સમારોહના લાઇવ પ્રસારણ પર પ્રતિબંધ મૂક્યો છે. X (ટ્વિટર) પર પોસ્ટ કરીને નાણામંત્રીએ લખ્યું, ‘તામિલનાડુ સરકારે 22 જાન્યુઆરીએ રામ મંદિર સંબંધિત કાર્યક્રમોનું લાઈવ ટેલિકાસ્ટ જોવા પર પ્રતિબંધ મૂક્યો છે. તમિલનાડુમાં શ્રી રામના 200 થી વધુ મંદિરો છે.

તમિલનાડુ સરકારના હિંદુ ધાર્મિક અને ચેરિટેબલ એન્ડોમેન્ટ્સ વિભાગ (HR&CE) દ્વારા સંચાલિત મંદિરોમાં શ્રી રામના નામ પર કોઈ પૂજા/ભજન/પ્રસાદમ/અન્નદાનમની મંજૂરી નથી. પોલીસ ખાનગી રીતે ચાલતા મંદિરોને પણ કાર્યક્રમોનું આયોજન કરતા અટકાવી રહી છે. તેઓ આયોજકોને ધમકી આપી રહ્યા છે કે તેઓ પંડાલ તોડી પાડશે. હું આ હિંદુ વિરોધી, દ્વેષપૂર્ણ કૃત્યની સખત નિંદા કરું છું.

વધુમાં તેઓ જણાવે છે કે, ‘તમિલનાડુના ઘણા ભાગોમાં હૃદયદ્રાવક અને વિચિત્ર દ્રશ્યો જોવા મળી રહ્યા છે. લોકોને ભજન આયોજિત કરવા, ગરીબોને ભોજન કરાવવા, મીઠાઈઓ વહેંચવા, ઉજવણી કરવાથી અટકાવવામાં આવે છે અને ધમકીઓ આપવામાં આવે છે, જ્યારે તેઓ બધા માનનીય વડા પ્રધાન મોદીજીને અયોધ્યામાં ભગવાન રામને પવિત્ર કરતા જોવા માંગે છે. કેબલ ટીવી ઓપરેટરોને કહેવામાં આવ્યું છે કે લાઈવ ટેલિકાસ્ટ દરમિયાન પાવર કટ થવાની સંભાવના છે. I.N.D.I.A ગઠબંધનના મુખ્ય ભાગીદાર DMKનું આ હિંદુ વિરોધી પગલું છે.

ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણે કહ્યું કે તમિલનાડુ સરકાર લાઇવ ટેલિકાસ્ટ પ્રતિબંધને યોગ્ય ઠેરવવા કાયદો અને વ્યવસ્થા બગડવાનો દાવો કરી રહી છે. આ એક ખોટી અને બનાવટી વાર્તા છે. અયોધ્યા ચુકાદાના દિવસે કાયદો અને વ્યવસ્થાની કોઈ સમસ્યા નહોતી. જ્યારે વડા પ્રધાન મોદીએ રામ મંદિરનો શિલાન્યાસ કર્યો ત્યારે પણ આ સમસ્યા ન હતી. તમિલનાડુમાં ભગવાન શ્રી રામના અભિષેક ઉત્સવની ઉજવણી માટે લોકોમાં ઉત્સાહનો પ્રવાહ હિંદુ વિરોધી DMK સરકારને ભારે પરેશાન કરી રહ્યો છે.

HR&CE મંત્રી શેખર બાબુએ નાણામંત્રીના નિવેદનને નકારી કાઢ્યા છે. તેણે લખ્યું, ‘ડીએમકેની યુવા પાંખના સંમેલનમાંથી ધ્યાન હટાવવા માટે આ અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. ⁠HR&CE એ તમિલનાડુના કોઈપણ મંદિરમાં પૂજા કરવા અથવા રામ માટે અન્નધનમ અર્પણ કરવા પર કોઈ પ્રતિબંધ લાદ્યો નથી. દુર્ભાગ્યપૂર્ણ છે કે નિર્મલા સીતારમણ જેવા લોકો અફવાઓ ફેલાવી રહ્યા છે જે સત્યની વિરુદ્ધ છે.’

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Kuno National Park Celebrates Mothers Among Magnificent Mammals રાહુનો મીન રાશિમાં પ્રવેશ કઈ રાશિને ફળશે Bollywood Beauties Captivate as Enchanting Tawaifs Unlock the Power of Tulsi on Akshay Tritiya: Simple Remedies for Abundance & Wellbeing