તમિલનાડુના મુખ્ય પ્રધાન બાલાજીની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી….

નવી દિલ્હી: કેશ ફોર જોબના સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ED દ્વારા બાલાજીની જૂનમાં ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ ન તો તેમણે રાજીનામું આપ્યું કે ન તો મુખ્ય પ્રધાન સ્ટાલિને તેમને કેબિનેટમાંથી દૂર કર્યા. બાલાજી હજુ પણ તમિલનાડુ સરકારમાં પોર્ટફોલિયો વિના પ્રધાન છે. સુપ્રીમ કોર્ટે તમિલનાડુમાં સેંથિલ બાલાજીને પ્રધાન તરીકે ચાલુ રાખવા સામેની અરજી ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાજ્યપાલ મુખ્ય પ્રધાનની ભલામણ પર જ પ્રધાનને બરતરફ કરી શકે છે. જો કે હાલમાં બાલાજી ઈડીની કસ્ટડીમાં છે.
કેન્દ્રીય તપાસ એજન્સી ED દ્વારા 14 જૂન 2023ના રોજ તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી બાલાજી ન્યાયિક કસ્ટડીમાં છે અને પુઝલ જેલમાં બંધ છે. બાલાજીને જેલમાંથી વીડિયો કોન્ફરન્સ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે ચેન્નાઈની સેશન્સ કોર્ટે 4 જાન્યુઆરીના રોજ બાલાજીની કસ્ટડી 11 જાન્યુઆરી સુધી લંબાવી હતી.
તેમની ધરપકડ પછી તરત જ સેંથિલ બાલાજીની ખાનગી હોસ્પિટલમાં બાયપાસ સર્જરી કરવામાં આવી હતી. બાદમાં EDએ તેને પૂછપરછ માટે કસ્ટડીમાં લીધો હતો અને ત્યારબાદ તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો. એમકે સ્ટાલિનની પાર્ટી ડીએમકે સેંથિલ બાલાજીની ધરપકડને રાજકીય કાવાદાવા ગણાવી રહી છે.
ન્યાયમૂર્તિ અભય શ્રીનિવાસ ઓકાની સર્વોચ્ચ અદાલતની બેન્ચે જણાવ્યું હતું કે રાજ્યપાલ પાસે પ્રધાનને બરતરફ કરવાની સત્તા છે કે કેમ તે અંગે હાઈ કોર્ટ જ યોગ્ય રીતે નિર્ણય આપી શકે છે. કે સંબંધિત વ્યક્તિને મુખ્ય પ્રધાન પદ પર રાખવા જોઈએ કે નહિ?
સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું હતું કે અમને નથી લાગતું કે આમાં દખલગીરીનો કોઈ અવકાશ છે. અમે મદ્રાસ હાઈ કોર્ટના મત સાથે સહમત છીએ. જો કે સામાજિક કાર્યકર્તા એમએલ રવિએ મદ્રાસ હાઈ કોર્ટના નિર્ણયને પડકાર્યો હતો કે મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ધરપકડ કરવામાં આવી હોવા છતાં બાલાજી તમિલનાડુ સરકારમાં પ્રધાન તરીકે કેવી રીતે પદ પર રહી શકે છે.
કથિત નોકરી આપવા સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ED દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટના ત્યારે બની હતી જ્યારે બાલાજી અગાઉની AIADMK સરકારમાં પરિવહન પ્રધાન હતા. તાજેતરમાં જ તેણે જામીન અરજી કરી હતી.
તેના પર મુખ્ય સત્ર ન્યાયાધીશ એસ અલીએ આગામી સુનાવણીની તારીખ 8 જાન્યુઆરી નક્કી કરી છે. EDના વકીલ એન રમેશે સેંથિલ બાલાજી અંગે કાઉન્ટર એફિડેવિટ દાખલ કરવા માટે સમય માંગ્યો છે.