બિહારમાં મતદાર યાદીમાંથી દૂર કરેલા નામોની યાદી શેર કરવા સુપ્રીમ કોર્ટેનો ચૂંટણી પંચને આદેશ

નવી દિલ્હી : બિહારમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. જોકે, આ દરમિયાન સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને મતદાર યાદીમાંથી દૂર કરાયેલા નામોની માહિતી શેર કરવાનો નિર્દેશ આપ્યો છે.
બિહારમાં એસઆઈઆર અંતર્ગત 3.66 મતદારોના નામ દૂર કરવામાં આવ્યા છે. જ્યારે ચૂંટણી પંચે અદાલતને જાણ કરી હતી કે મોટાભાગના નવા મતદારોના નામ ઉમેરવામાં આવ્યા છે. તેમજ જે લોકોના નામ દૂર કરવામાં આવ્યા છે તેમાંથી કોઈએ અત્યાર સુધી કોઈ ફરિયાદ કે અપીલ દાખલ કરી નથી.
આપણ વાંચો: ‘સમગ્ર પ્રક્રિયા રદ કરીશું’ આ મામલે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને આકરા શબ્દોમાં ચેતવણી આપી
9 ઓક્ટોબર સુધીમાં કોર્ટમાં માહિતી જમા કરાવવી પડશે
આ અંગેની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટની બેન્ચે જણાવ્યું હતું કે ચૂંટણી પંચે ગુરુવાર 9 ઓક્ટોબર સુધીમાં કોર્ટમાં માહિતી જમા કરાવવી પડશે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે ડ્રાફ્ટ યાદી અને 30 સપ્ટેમ્બરના રોજ પ્રકાશિત અંતિમ યાદી દરેક માટે ઉપલબ્ધ હોવાથી બંને યાદીઓની તુલના કરીને જરૂરી માહિતી પૂરી પાડી શકાય છે.
અંતિમ યાદીમાં મતદારોની સંખ્યામાં વધારો
સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે અંતિમ યાદીમાં મતદારોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. તેથી મૂંઝવણ ટાળવા માટે કોના નામ ઉમેરવામાં આવ્યા છે તે સ્પષ્ટ કરવું જોઈએ. ડ્રાફ્ટ યાદીમાંથી 65 લાખ નામો દૂર કર્યા છે. તેમજ કહ્યું હતું કે જે લોકો મૃત્યુ પામ્યા છે અથવા સ્થળાંતર કરી ગયા છે તેમને દૂર કરવા યોગ્ય છે. પરંતુ તેમાં એસઓપી પાલન જોવું પડશે.
આપણ વાંચો: બિહારમાં મતદાર યાદી સુધારણા: સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને આકરા સવાલ પૂછ્યા; જાણો શું કહ્યું
માહિતી તમારી ઓફિસમાં પ્રદર્શિત થવી જોઈએ
તેમજ દૂર કરાયેલા નામો વિશેની માહિતી તમારી ઓફિસમાં પ્રદર્શિત થવી જોઈએ. હવે અંતિમ યાદીમાં મતદારોની સંખ્યા વધી છે. જેના કારણે મૂંઝવણ ઊભી થઈ છે કે ઉમેરાયેલા નામ જૂના કાઢી નાખવામાં આવેલા મતદારોના છે કે નવા મતદારોના છે.
મોટાભાગના નામ નવા મતદારોના
જ્યારે ચૂંટણી પંચ તરફથી એડવોકેટ દ્વિવેદીએ જવાબ આપ્યો કે ઉમેરાયેલા મોટાભાગના નામ નવા મતદારોના છે. જો કે, કેટલાક જૂના મતદારો પણ છે જેમના નામ ડ્રાફ્ટ યાદી પછી ઉમેરવામાં આવ્યા હતા. તેમજ અત્યાર સુધી કોઈ કાઢી નાખવામાં આવેલા મતદારે કોઈ ફરિયાદ કે અપીલ દાખલ કરી નથી.
આપણ વાંચો: જ્યાં સુધી ન કહીએ ત્યાં સુધી EVM ડેટાનો નાશ ન કરશો; સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને આપ્યો મોટો આદેશ…
મતદારોની કુલ સંખ્યા 7.42 કરોડ થઈ
ઉલ્લેખનીય છે કે, ૩૦ સપ્ટેમ્બરના રોજ ચૂંટણી પંચે બિહાર માટે અંતિમ મતદાર યાદી જાહેર કરી હતી. જેમાં પંચે જણાવ્યું હતું કે મતદારોની કુલ સંખ્યા આશરે 47 લાખ ઘટીને 7.42 કરોડ થઈ ગઈ છે. જે અગાઉ 7.89 કરોડ હતી.
આ એસઆઇઆર પછી થયું છે. જોકે, ડ્રાફ્ટ યાદી બાદ અંતિમ આંકડો 17.87 લાખનો વધારો થયો છે. મિલિયન વધ્યો. ડ્રાફ્ટ યાદીમાં 65 લાખ મતદારોને દૂર કરવામાં આવ્યા હતા.