ટોપ ન્યૂઝનેશનલ

Bihar માં બાબા સિદ્ધેશ્વર નાથના મંદિરમાં નાસભાગ મચી, 7 શ્રદ્ધાળુઓના મોત, 35 શ્રદ્ધાળુઓ ઘાયલ

જહાનાબાદ : બિહારના(Bihar)જહાનાબાદ જિલ્લામાં બાબા સિદ્ધેશ્વર નાથના મંદિરમાં નાસભાગ મચી ગઈ હતી. જેમાં 3 મહિલાઓ સહિત 7 શ્રદ્ધાળુઓના મોત થયા છે. તેમજ 35 શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે. આ ઘટના મખદુમપુર બ્લોકના વાણાવર પહાડ વિસ્તારમાં બની હતી. આ નાસભાગની માહિતી મળતા જ વહીવટીતંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મંદિર પરિસરમાં તૈનાત સુરક્ષા દળો અને સ્વયંસેવકોની મદદથી રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

જલાભિષેક દરમિયાન મંદિરમાં નાસભાગ મચી ગઈ હતી

શ્રાવણ મહિનાનો સોમવાર હોવાથી મંદિરમાં ભક્તોની લાંબી લાઇન લાગી હતી. ભગવાન શિવના જલાભિષેક દરમિયાન મંદિરમાં નાસભાગ મચી ગઈ હતી. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મૃત્યુ પામ્યા અને ઘાયલ પણ થયા. ઘાયલ ભક્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

લોકો પોતાનો જીવ બચાવવા માટે દોડવા લાગ્યા

મંદિરમાં હાજર ભક્તોએ જણાવ્યું કે સિદ્ધેશ્વરનાથ મંદિરમાં રવિવાર રાતથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી. રાત્રે 1 વાગ્યાની આસપાસ નાસભાગ મચી ગઈ હતી. મંદિરમાં હાજર તમામ લોકો પોતાનો જીવ બચાવવા માટે દોડવા લાગ્યા ત્યારબાદ લોકો મંદિર પરિસરમાં પડી ગયા અને ગંભીર રીતે ઘાયલ થયા હતા.

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામે ઊભા હોવ તો પણ દૂધ ઉભરાઈ જાય છે? ફોલો કરો આ સિમ્પલ ટિપ્સ… આજે પવિત્ર શ્રાવણ મહિનાનો શઁકર ભગવાનનો પ્રિય સોમવાર છે આજે બુધ અસ્ત થઈને કરશે આ રાશિના જાતકોને માલામાલ, જોઈ લો તમારી પણ રાશિ છે ને… આટલું કરશો…તો હંમેશાં ઘરમાં રહેશે લક્ષ્મીજીનો વાસ