ખોટી ટિકિટ જારી કરવા બદલ પ્રવાસીને પચીસ હજારનું વળતર ચૂકવવાનો સ્પાઇસજેટને નિર્દશ

મુંબઈ: 2020માં પ્રવાસ રિરુટ કરવા સમયે ખોટી ટિકિટ જારી કરવા બદલ સિનિયર સિટિઝનને ‘આર્થિક અને માનસિક ત્રાસ ભોગવવા પડ્યો’ એવો ઠપકો મૂકી ગ્રાહક પંચે સ્પાઇસજેટને પચીસ હજારનું વળતર ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો.
જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ પંચ, મુંબઈ (ઉપનગર) દ્વારા 17 જૂને જારી આદેશમાં સેવામાં ખામી અને બેદરકારીભર્યું વર્તન માટે વિમાન કંપનીને કસૂરવાર ઠેરવી હતી. તેને કારણે પ્રવાસીને માનસિક ત્રાસ થયો હોવાની નોંધ કરી હતી.
પ્રવાસીની તાકીદની જરૂર ધ્યાનમાં લેતાં (આદેશમાં ઉંમર નિર્દિષ્ટ કરાઇ નથી) એરલાઇને વૈકલ્પિક બુકિંગ કર્યું હતું, જેમાં ખરાબ હવામાનને કારણે આરંભિક ફ્લાઇટ રદ થયા બાદ ખોટી ટિકિટ જારી કરવામાં આવી હતી.
ગ્રાહક પંચે નોંધ્યું હતું કે ફ્લાઇટ રદ થઇ તે એરલાઇનના નિયંત્રણની બહારની વાત છે અન્ે ઍર ટ્રાફિક ક્ધટ્રોલ (એટીસી) દ્વારા પ્રવાસીની સુરક્ષા ધ્યાનમાં રાખીને ઉચિત નિર્ણય લેવાયો હતો.
એરલાઇને ફરિયાદીને વૈકલ્પિક ટિકિટ આપવા માટે દરેક જરૂરી પ્રયાસ કર્યા હતા. જોકે કથિત ટિકિટ ખોટી હતી અને તેથી ફરિયાદીને આર્થિક અને માનસિક ત્રાસ ભોગવવો પડ્યો હતો. ફરિયાદીએ પણ બેદરકારી દાખવી હતી, એવી નોંધ પણ પંચે કરી હતી.
જો ફરિયાદીએ ટિકિટ જારી કરાઇ ત્યારે જ તપાસ્યું હોત તો ભૂલ ત્યાં ને ત્યાં જ સુધારી શકાઇ હતો અને ફરિયાદીને વધુ મુશ્કેલીઓનો સામનો નહીં કરવો પડ્યો હતો, એમ પણ પંચે નોંધ્યું હતું.
ફરિયાદી ઘાટકોપરનો રહેવાસી છે. તેણે 5ાંચમી ડિસેમ્બર, 2020ના રોજ મુંબઈથી દરભંગા અને બે દિવસ બાદ વાપસીની સ્પાઇસજેટની ટિકિટો બૂક કરી હતી. મુંબઈથી દરભંગાનો પ્રવાસ પૂર્ણ કર્યો, પણ વાપસીની ફ્લાઇટ ખરાબ હવામાનને કારણે રદ કરાઇ હતી. ફરિયાદીને 8 ડિસેમ્બર, 2020ના રોજ મુંબઈમાં પીએચડીની ઓનલાઇન પરીક્ષા આપવાની હતી. આથી તેણે વૈકલ્પિક વ્યવસ્થાની વિનંતી એરલાઇનને કરી હતી.
સ્પાઇસજેટે પટનાથી કોલકાતા અને કોલકાતાથી મુંબઈની તે જ દિવસની વૈકલ્પિક ટિકિટ આપી હતી. જોકે પટના પહોંચતાં એરપોર્ટ પ્રશાસને જણાવ્યું હતું કે ટિકિટ ખોટી છે, કારણ કે કોલકાતાથી મુંબઈ જતી ફ્લાઇટ કોલકાતામાં તેના આગમન પૂર્વે જ પ્રસ્થાન કરી ચૂકી છે, એમ ફરિયાદીએ દાવો કર્યો હતો.
આ પણ વાંચો - મુંબઈ-પુણે એક્સપ્રેસવે: ભારે વાહનો માટે ઘાટમાં સ્પીડ લિમિટ વધશે?
આમ ભૂલને કારણે ફરિયાદીને પોતાને ખર્ચે બીજા દિવસે સવારની અન્ય ફ્લાઇટની ટિકિટ બૂક કરાવવી પડી હતી, જેને કારણે તેને મુશ્કેલી, માનસિક ત્રાસ અને આર્થિક નુકસાનનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં મુંબઈ પહોંચવામાં વિલંબ થતાં તે ઓનલાઇન પરીક્ષા આપી શક્યો નહોતો. આથી તેણે ગ્રાહક પંચમાં અરજી કરી હતી. (પીટીઆઇ)