સોનમના પરિવારે પરત કર્યા રઘુવંશી પરિવારના ઘરેણા, દહેજ પરત ન લેવાની કરી વાત

શિલોંગ: લગ્નના 11 દિવસ બાદ પતિ રાજા રઘુવંશીની હત્યાના કરનાર સોનમ રઘુવંશી શિલોંગની પોલીસના કબ્જામાં છે. આ કેસ ફરિ એક વખત નવો વળાંક લીધો છે. સોનમના પરિવારે રાજાના પરિવારને લગ્નમાં આપેલા તમામ ઘરેણાની પરત કરી દીધા છે. જોકે મંગળસૂત્ર અને વીંટી હજુ પોલીસની કસ્ટડીમાં છે.
રાજા રઘુંવશીના પરિવારે સોનમને જે ઘરેણા આપ્યા હતા. તે ઘરેણા જેમાં એક સોનાનો હાર, બંગળી, અન્ય વસ્તુઓ રાજેન્દ્ર નગર પોલીસ અને પંચાયતની હાજરીમાં રાજાના પરિવારને પરત કર્યાં. જોકે, મંગળસૂત્ર અને વીંટી પોલીસ કસ્ટડી રાખવામાં આવ્યા છે, જે હાલ શિલોંગ પોલીસ પાસે છે. જ્યારે બીજી બાજુ સોનમના પિતાએ રાજાના પરિવારને લગ્નમાં આપવામાં આવેલી મોંઘી કાર અને રોકડ લેવાની ના પાડી હતી. જ્યારે સોનમના પિતાએ જણાવ્યું કે તેમણે પોતાની દીકરીને ‘દાન’ આપી હતી, જે પરત લેવાનો સવાલ જ નથી.
આ પણ વાંચો: રાજા રઘુવંશી હત્યા કેસ: સોનમના ગુમ થયેલા ઘરેણાંનું રહસ્ય અને સિલોમ જેમ્સની સંડોવણી
ઉલ્લેખનીય વાત એક છે પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, સોનમ પાસે એક મંગલસૂત્ર નહીં બે મંગલ સૂત્ર છે. રાજાના ભાઈ વિપિનનું કહેવું છે કે સોનમે રાજાની હત્યા બાદ ઈન્દોરમાં પોતાના કથિત પ્રેમી રાજ કુશવાહા સાથે બીજા લગ્ન કર્યાં હોઈ શકે, અને બીજું મંગળસૂત્ર તેનું છે. આ મુદ્દે પોલીસે તપાસ તેજ કરી છે, જેથી હત્યાના ગુનાનું સત્ય સામે આવે.
સોનમનો ભાઈ ગોવિંદ ટૂંક સમયમાં શિલોંગ જઈને તેની બહેનને મળવાનો છે. તેનું કહેવું છે કે તે સોનમ સાથે વાત કરીને હત્યાકાંડનું સત્ય જાણશે. જો સોનમ ગુનામાં સામેલ હશે તો તેને સજા થવી જોઈએ, પરંતુ જો તે નિર્દોષ હશે તો તે તેની સાથે ઊભો રહેશે. આ કેસમાં પોલીસની તપાસ ચાલુ છે, અને વધુ ખુલાસા ટૂંક સમયમાં થવાની શક્યતા છે.