રાજ માટે રાજાની કરી હત્યા, સોનમે સંબંધનો કર્યો સ્વીકાર

શિલોંગ: રાજા રઘુંવશી હત્યા કેસમાં રોજ રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. પોલીસે આરોપીઓને દબોચીને સઘન પુછપરછ શરૂ કરી છે. સોનમે પોલીસ સામે કબુલ્યુ હતું કે તેને પતી રાજા રઘુંવશીની હત્યા કરી છે. ત્યારે તપાસ ફરી ખુલાસો થયો છે કે, સોનમે રાજ સાથેના સંબંધને કબૂલી લીધો છે. આ ચકચારીત કેસની તપાસ માટે મેઘાલય પોલીસે નવી ટીમની રચના કરી છે.
પ્રેમનો થયો પર્દાફાશ
પોલીસે જણાવ્યું કે, નાર્કો ટેસ્ટના પરિણામો કોર્ટમાં માન્ય નથી. ઈસ્ટ ખાસી હિલ્સના પોલીસ અધિક્ષક વિવેક સિમે કહ્યું, “રાજ અને સોનમે સંબંધની વાત સ્વીકારી છે અને હત્યાનો ગુનો પણ કબૂલ્યો છે. અમે ઘટનાસ્થળનું રિક્રિએશન કર્યું, જેમાં તેમણે બતાવ્યું કે રાજાની હત્યા કેવી રીતે કરવામાં આવી.” પોલીસને હવે નાર્કો ટેસ્ટની જરૂર નથી, કારણ કે પુરાવા પૂરતા છે.
નક્કર પુરાવા પોલીસે મળ્યા
મેઘાલય પોલીસ દ્વારા આ કેસમાં નક્કર પુરાવાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેથી કોર્ટમાં મજબૂત આરોપપત્ર રજૂ થઈ શકે. સોનમે રાજ કુશવાહા સાથે રહેવા માટે પોતાના પતીની જ હનીમૂન પર હત્યાની યોજના બનાવી હતી. પોલીસનું માનવું છે કે, સામાજિક રીતરિવાજોના કારણે તેમણે આ પગલું ભર્યું.
લોકન્દ્ર તોમરની પોલીસ કરશે પૂછપરછ
હવે પોલીસ લોકેન્દ્ર તોમરની પૂછપરછ કરશે જે ઈન્દોરમાં એક ફ્લેટનો માલિક છે. જ્યાં સોનમ પતી રાજાની હત્યા કર્યા બાદ રોકાઈ હતી. આ ફ્લેટમાં એક બેગ છોડી હતી. જેમાં દેશી પિસ્તોલ, ફોન, રાજાના ઘરેણાં અને 5 લાખ રૂપિયા નગદ હતા. ઉલ્લેખનીય છે કે પોલીસને શંકા છે કે આ પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ થયો હતો. હત્યાકાંડને લઈ આઠમી ધરપકડ કરવામાં આવી છે.
ઈન્દોરમાં સોનમે છોડ્યા પુરાવા
પોલીસ હવે લોકેન્દ્ર તોમરની પૂછપરછ કરશે, જે ઈન્દોરમાં એક ફ્લેટનો માલિક છે, જ્યાં સોનમ રોકાઈ હતી. સોનમે આ ફ્લેટમાં એક બેગ છોડી હતી, જેમાં દેશી પિસ્તોલ, ફોન, રાજાના ઘરેણાં અને 5 લાખ રૂપિયા હતા. પોલીસને શંકા છે કે આ પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ થયો હતો. આ કેસમાં આઠમી ધરપકડ થઈ છે, અને લોકેન્દ્ર, સિલોમ જેમ્સ અને બલવીરની શિલોંગ કોર્ટમાં રજૂઆત થશે.
આ પણ વાંચો…રાજા રઘુવંશી હત્યાકાંડ: કેમ સોનમે રાજાની હત્યા પિસ્તોલથી ન કરી?