નેશનલ

વાયનાડમાં જળતાંડવની વચ્ચે UNICEFનો ચોંકાવનારો રિપોર્ટ: દક્ષિણ એશિયામાં 60 લાખ બાળકો….

કેરળના વાયનાડમાં સતત પડી રહેલા વરસાદના લીધે થયેલા ભૂસ્ખલનથી ભારે તબાહી સર્જાઈ છે. આ ભૂસ્ખલનના કારણે અત્યાર સુધીમાં 116 લોકોના મોત થયા છે અને સેંકડો લોકો ઘાયલ થયા છે. આ દરમિયાન યુનિસેફનો રિપોર્ટ સામે આવ્યો છે જેમાં ભારે વરસાદ અને પૂરને લઈને ભયંકર દાવા કરવામાં આવ્યા છે. યુનિસેફનો દાવો છે કે માત્ર દક્ષિણ એશિયામાં જ લગભગ 60 લાખ બાળકો પૂર અને ભારે વરસાદના કારણે જોખમમાં છે.

આ પણ વાંચો: Kerala Landslides: વાયનાડમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન, અનેક લોકો દટાયા હોવાની આશંકા , બચાવ કામગીરીમાં એરફોર્સ પણ જોડાયું

યુનિસેફના જણાવ્યા અનુસાર આ બાળકો અને તેમના પરિવારોએ ગંભીર કુદરતી આફતને કારણે તેમનો આશરો ગુમાવ્યો છે અથવા તેઓ તેમના વિસ્તારોમાં જીવિત રહેવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. યુનિસેફ અનુસાર આ લોકો અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભારત, નેપાળ અને પાકિસ્તાનમાં રહે છે. યુનિસેફના જણાવ્યા અનુસાર નેપાળમાં પૂરના કારણે અત્યાર સુધીમાં 109 લોકોના મોત થયા છે, જેમાંથી 35 બાળકો છે. તે જ સમયે નેપાળના 1580 પરિવારો ભારે વરસાદ અને પૂરથી પ્રભાવિત થયા છે.

અહેવાલમાં જણાવાયુ છે કે બાંગ્લાદેશમાં મુશળધાર વરસાદ અને ત્યારબાદ આવેલા પૂરને કારણે દેશના ઉત્તર અને પૂર્વોત્તર વિસ્તારોમાં લાખો બાળકો પર સંકટ છે. યુનિસેફના રિપોર્ટમાં પણ ભારતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને કહેવામાં આવી રહ્યું છે કે આસામમાં તાજેતરમાં આવેલા પૂરે ભારે તબાહી મચાવી હતી. જેના કારણે 50 હજારથી વધુ બાળકો અને તેમના પરિવારો પ્રભાવિત થયા છે. આ ગાળામાં 8 હજાર બાળકોને રાહત શિબિરોમાં રહેવાની ફરજ પડી હતી.

આ પણ વાંચો: ઇન્ફ્રા. ડેવલપમેન્ટના નામે જંગલોનો નાશ જ વાયનાડમાં ભૂસ્ખલનનું કારણ બન્યો

ભારતમાં હાલમાં ચોમાસું ચાલી રહ્યું છે, તેથી અન્ય ઘણા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પૂર અથવા અન્ય કુદરતી આફતોનો ભય રહ્યો છે. ઉત્તર-પૂર્વ બાદ હવે દક્ષિણ ભારતમાં પણ ભયાનક તસવીરો સામે આવી રહી છે. કેરળના વાયનાડમાં ભારે ભૂસ્ખલનને કારણે 117 લોકોએ જીવ ગુમાવ્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બોલીવુડની આ અભિનેત્રીઓએ માંજરી આંખોથી કર્યા છે લાખો ફેન્સને ઘાયલ… પિંક હાઈ થાઈસ્લિટ ગાઉનમાં બાર્બી ડોલ બનીને એક્ટ્રેસે બિખેર્યો હુસ્નનો જાદુ, જોઈને બોલી ઉઠશો… દુનિયાની ટોપ 50 બેસ્ટ ડિશમાં આટલામાં નંબર પર છે ઈન્ડિયન ડિશ, નામ સાંભળશો તો… ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં?