નેશનલ

શોકિંગ: હરિયાણામાં ચાર સંતાન સાથે પિતાએ ટ્રેન સામે ઝંપલાવ્યું, કારણ શું?

ફરીદાબાદઃ લોકોમાં સહનશક્તિ સતત ઘટી રહી છે. નાની-નાની વાતોમાં લોકોને માઠું લાગી જાય છે અને વાત આત્મહત્યા સુધી પહોંચી જાય છે. હરિયાણાના ફરીદાબાદમાં મંગળવારે એક વ્યક્તિએ ચાર બાળકો સાથે ટ્રેન આગળ કૂદીને આત્મહત્યા કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આત્મહત્યા કરતા પહેલા તેણે બાળકોને ઠંડા પીણા અને ચિપ્સ પણ આપ્યા હતાં. જ્યારે ટ્રેન આવી ત્યારે બાળકોએ ભાગવાનો પ્રયાસ કર્યો પરંતુ તે વ્યક્તિએ તેમને પોતાના હાથમાં પકડી લીધા અને સાથે ટ્રેન આગળ કૂદી પડ્યા હતાં.

પત્ની સાથે ઝઘડો થયો એટલે બાળકો સાથે પિતાએ કરી આત્મહત્યા

વધારે વિગતે વાત કરવામા આવે તો, આખો મામલો બલ્લભગઢ વિસ્તારનો હોવાનું જાણવા મળ્યું છે. બિહારના રહેવાસી 45 વર્ષીય મનોજ મહતોનો તેની પત્ની પ્રિયા સાથે કોઈ વાતને લઈને ઝઘડો થઈ રહ્યો હતો. મંગળવારે સવારે બંને વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ મહતોએ કહ્યું કે તે બાળકોને પાર્કમાં લઈ જઈ રહ્યો હતો અને ઘરેથી નીકળી ગયો અને ટ્રેન સામે કૂદીને આત્મહત્યા કરી લીધી હતી.

બાળકોએ દોડવાનો પ્રયત્ન કર્યા પરંતુ પિતાએ હાથ પકડી લીધો

આ સમગ્ર ઘટના વિશે વાત કરતા પોલીસે મહતો સ્ટેશનથી લગભગ એક કિલોમીટર પહેલા રેલ્વે ટ્રેક પર ચાલતો જોવા મળ્યો હતો. તે બે બાળકોને ખભા પર લઈને બે બાળકોના હાથ પકડી રાખ્યા હતા. લોકો પાઇલટે દૂરથી ઘણી વાર હોર્ન વગાડ્યો, પરંતુ મહતો પાટા પરથી હટ્યો નહીં. આ દરમિયાન બાળકોએ દોડવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેણે બાળકોના હાથમાં પકડી લીધા હતાં.. ટ્રેન નજીક આવતાની સાથે જ તે તેના ચાર બાળકો પવન, કારુ, મુરલી અને છોટુ સાથે ટ્રેનની સામે કૂદી પડ્યો.

આપણ વાંચો:  આ છે દુનિયાના માલેતુજારોની યાદીઃ જાણો ભારતના કેટલા છે?

બલ્લભગઢ રેલ્વે સ્ટેશન પર 12:55 વાગ્યે બની આ સમગ્ર ઘટના

આ આત્મહત્યાની ઘટના બપોરે લગભગ 12:55 વાગ્યે બની હતી. પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહોને ટ્રેક પરથી દૂર કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. આ ઘટના બન્યા પછી લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતાં. આ પહેલા પણ સામૂહિક આત્મહત્યાની ઘટનાઓ બનેલી છે. પરંતુ અહીં ફરીદાબારમાં બનેલી આત્મહત્યાની ઘટના હ્રદય કંપાવી દે તેવી છે. કારણ કે, અહીં તો સગા પિતાએ પોતાના ચાર બાળકો સાથે આત્મહત્યા કરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button