“મારા દીકરાને સવાલ પૂછવાની મંજુરી ન આપો” જ્યારે શશિ થરૂરે પ્રેસ કોન્ફરન્સમાં હળવી મજાક કરી

વોશીંગ્ટન ડીસી: કોંગ્રેસના સાંસદ શશિ થરૂર(Shashi Tharoor)ના આગેવાની હેઠળનું સર્વદળિય પ્રતિનિધિમંડળ અમેરિકાની મુલાકાતે છે. આ પ્રતિનિધિમંડળ અમરિકાના પ્રમુખ નેતાઓ અને અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન શશિ થરૂરના દીકરા ઈશાન થરૂર(Ishan Tharoor)એ સવાલો પૂછવા ઉભા થયા હતાં. આ દરમિયાન શશી થરૂરએ કહ્યું ‘તેને પ્રશ્નો પૂછવાની મંજૂરી ન હોવી જોઈએ.’
શશિ થરૂરના પુત્ર ઈશાન થરૂર અમેરિકાના પ્રતિષ્ઠિત અખબાર વોશિંગ્ટન પોસ્ટમાં વૈશ્વિક બાબતોના કટારલેખક છે. ‘કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન્સ’માં ચર્ચા દરમિયાન ઈશાન થરૂરે પિતા શશી થરૂરને સવાલ પૂછવા ઉભા થયા હતાં.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, જ્યારે ઈશાન થરૂરે પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું, ત્યારે હળવી મજાક શરુ થઇ હતી. પિતાને પ્રશ્ન પૂછતા પહેલા, ઇશાને કહ્યું, ‘ઇશાન થરૂર, વોશિંગ્ટન પોસ્ટ. હું ચોક્કસપણે મારી વ્યક્તિગત ક્ષમતામાં પ્રશ્ન પૂછી રહ્યો છું.’
ઇશાને શું પૂછ્યું?
પ્રેસ કોન્ફરન્માં ઈશાન થરૂરે પિતા શશી થરૂરને પૂછ્યું, ‘શું કોઈ સરકારી વાટાઘાટકાર (અને કોઈ દેશ) એ પહલગામ હુમલામાં પાકિસ્તાનની સંડોવણીના પુરાવા માંગ્યા છે? પાકિસ્તાન દ્વારા આ હુમલામાં કોઈપણ સંડોવણી હોવાનો વારંવાર ઇનકાર કરવા અંગે તમે શું કહો છો?’
શશિ થરૂરનો જવાબ:
શશિ થરૂરે આ પ્રશ્નનો જવાબ હાસ્ય સાથે આપ્યો, તેમણે કહ્યું, ‘આ મારો દીકરો છે, એનેપ્રશ્ન પૂછવાની મંજૂરી ન હોવી જોઈએ.’ આ સાંભળીને હાજર લોકોમાં હાસ્ય ફેલાઈ ગયું.
બાદમાં શશિ થરૂરે કહ્યું, “મને ખૂબ આનંદ છે કે તમે આ મુદ્દો ઉઠાવ્યો, ઇશાન. કોઈને કોઈ શંકા નહોતી, અને અમારી પાસેથી પુરાવા માંગવામાં આવ્યા નથી, પરંતુ કેટલાક મીડિયાએ પુરાવા માંગ્યા હતાં.”
આપણ વાંચો: કિંગફિશર એરલાઇન્સના પતન માટે પ્રણવ મુખર્જી જવાબદાર? વિજય માલ્યાએ લગાવ્યા ગંભીર આરોપ
શશિ થરૂરે કહ્યું, ‘હું સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે ભારતે નક્કર પુરાવા વિના આ (ઓપરેશન સિંદૂર) કર્યું નથી.’