ટોપ ન્યૂઝનેશનલ

સુપ્રીમ કોર્ટે શંભુ બોર્ડર અંગે આપ્યો મહત્વનો આદેશ, કહ્યું- હાઈવે ટ્રેક્ટર પાર્ક કરવા માટે નથી

નવી દિલ્હી: ખેડૂત આંદોલન બાદ બંધ કરવામાં આવેલી હરિયાણા-પંજાબ રાજ્યને જોડતી શંભુ બોર્ડર (Shambhu Border) ખોલવા અંગે સુપ્રિમ કોર્ટે (Supreme Court) મહત્વની આદેશ આપ્યો છે, સુપ્રીમ કોર્ટે શંભુ બોર્ડર આંશિક રીતે ખોલવાનો આદેશ આપ્યો છે. કોર્ટે એમ્બ્યુલન્સ, વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ, વિદ્યાર્થીઓ વગેરે માટે હાઇવે ખોલવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે હાઈવેની બંને બાજુએ એક-એક લેન ખોલવી જોઈએ. કોર્ટે હરિયાણા અને પંજાબના પોલીસ અધિકારીઓને આ અંગે એક અઠવાડિયાની અંદર બેઠક યોજીને રૂપરેખા તૈયાર કરવા જણાવ્યું છે. આ કેસની આગામી સુનાવણી 22 ઓગસ્ટે થશે.

કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે શંભુ બોર્ડરની એક લેન લોકો માટે ખોલી શકાય છે. કોર્ટે કહ્યું કે હાઇવે ટ્રેક્ટરના પાર્કિંગ માટે નથી. કોર્ટે હરિયાણા અને પંજાબના ડીજીપીને એક અઠવાડિયાની અંદર મળવા અને સરહદો ખોલવા માટેની યોજના તૈયાર કરવા કહ્યું છે. કોર્ટમાં સુનાવણી દરમિયાન એવી દલીલ કરવામાં આવી હતી કે બોર્ડર બંધ થવાને કારણે સામાન્ય લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

અગાઉ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે શંભુ બોર્ડરને ખોલવાનો નિર્દેશ આપ્યો હતો. 10 જુલાઈના રોજ આપેલા આદેશમાં હાઈકોર્ટે એક અઠવાડિયાની અંદર શંભુ બોર્ડર ખોલવાના આદેશ આપ્યા હતા. હાઈકોર્ટના આદેશ સામે હરિયાણા સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી. સુપ્રીમ કોર્ટે છેલ્લી સુનાવણીમાં એમ પણ કહ્યું હતું કે રાજ્ય સરકાર સામાન્ય લોકો માટે હાઈવે બ્લોક ન કરી શકે. તમને જણાવી દઈએ કે અહીં 13 ફેબ્રુઆરીથી ખેડૂતો સતત ધારણા પર બેઠા છે. હરિયાણા સરકારે ખેડૂતોને રોકવા માટે અહીં બેરિકેડ લગાવ્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આજે પવિત્ર શ્રાવણ મહિનાનો શઁકર ભગવાનનો પ્રિય સોમવાર છે આજે બુધ અસ્ત થઈને કરશે આ રાશિના જાતકોને માલામાલ, જોઈ લો તમારી પણ રાશિ છે ને… આટલું કરશો…તો હંમેશાં ઘરમાં રહેશે લક્ષ્મીજીનો વાસ 18 ઓગસ્ટ શનિ બદલશે ચાલ અને 47 દિવસ સુધી આ રાશિના લોકોના કરશે પૈસાથી માલામાલ