જેલમાંથી છૂટીને Mallikarjun Khargeને મળ્યા આપના નેતા Sanjay Singh

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટી (AAP)ના સાંસદ સંજય સિંહ રવિવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge)ને મળ્યા હતા. તેમની મુલાકાત અંગે સંજય સિંહે કહ્યું કે, જેલમાંથી બહાર આવ્યા બાદ તેમણે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના આશીર્વાદ લેવા પડ્યા કારણ કે તેઓ અમને ગૃહમાં પણ પ્રોત્સાહિત કરે છે. આ દરમિયાન અમે દેશભરના વિપક્ષી નેતાઓ સામે તપાસ એજન્સીની કાર્યવાહી અંગે પણ વાત કરી.
તેમણે કહ્યું કે, આગામી દિવસોમાં, ટૂંક સમયમાં એક કોમન મિનિમમ પ્રોગ્રામની જાહેરાત કરવામાં આવશે, જે સરકારની રચના પછી ભારત ગઠબંધન દ્વારા લાગુ કરવામાં આવશે. સંજય સિંહે કહ્યું કે બાબા સાહેબની જન્મજયંતિ નિમિત્તે ભારતમાં લોકશાહી બચાવવા માટે આપણે એક થઈને કેવી રીતે કામ કરીશું તે અંગે ચર્ચા થઈ હતી. કોમન મિનિમમ પ્રોગ્રામ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
BJPના મેનિફેસ્ટો અંગે સંજય સિંહે કહ્યું કે, જ્યારે હું મલ્લિકાર્જુન સાથે વાત કરી રહ્યો હતો ત્યારે મને ખબર પડી કે BJPએ તેનો મેનિફેસ્ટો બહાર પાડ્યો છે પરંતુ પહેલા મને જોવા દો, પછી હું તમારી સાથે વાત કરીશ. શું 20 કરોડ લોકોને નોકરી મળી છે? શું મોંઘવારી ઘટી છે? શું દેશમાં MSP લાગુ કરવામાં આવી છે? તેમણે કહ્યું કે, હું આખો મેનિફેસ્ટો વાંચીને પ્રતિક્રિયા આપીશ, તેમ તેમણે ઉમેર્યું હતું.
તાજેતરમાં સંજય સિંહને જેલમાંથી છૂટકારો આપવામાં આવ્યો છે જ્યારે આપના સંયોજક અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ હજુ જેલમાં છે. આ ઉપરાંત આપના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદીયા પણ જેલમાં છે.