નેશનલ

નિખિલ સોસલે કોણ છે? ચિન્નાસ્વામી સ્ટેડિયમ નાસભાગ કેસમાં શા માટે થઈ ધરપકડ?

બેંગલુરૂ: IPL 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ભવ્ય જીત થઈ છે. જેને લઈને RCBની ટીમ અને તેના ચાહકોમાં એક તરફ ખુશીનો માહોલ હતો. પરંતુ આ માહોલ ટૂંકાગાળામાં માતમમાં ફેરવાયો હતો. કર્ણાટકના ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે RCBની વિક્ટ્રી પરેડમાં નાસભાગ થઈ હતી. જેમાં 11 લોકોના મૃત્યુ થયા હતા.

11 લોકોના મૃત્યુને લઈને આયોજકો તથા સરકાર પર સવાલો ઊઠ્યા હતા. ત્યારે કર્ણાટકના મુખ્ય પ્રધાન દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. જેને લઈને હવે કર્ણાટક પોલીસે RCB સાથે સંકળાયેલા નિખિલ સોસલે નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

આપણ વાંચો: ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર નાસભાગ થવાનું ખરું કારણ આવ્યું સામે…

જેની ધરપકડ થઈ તે નિખિલ સોસલે કોણ છે?

વિજય માલ્યાના ગયા બાદ RCBની કમાન યુનાઈટેડ સ્પિરિટ્સ લિમિટેડના હાથમાં આવી હતી. ડિયાઝીઓ કંપની તેનું સંચાલન કરે છે. નિખિલ સોસલે આ કંપનીના કર્મચારી છે. તેઓ છેલ્લા 2 વર્ષથી RCBના માર્કેટિંગ અને રેવન્યુ હેડ તરીકેની જવાબદારી સંભાળે છે.

આરસીબીમાં પાર્ટનરશિપમાં રહી ચૂક્યા છે વડા

RCB બ્રાન્ડ પાછળની ડિઝાઇન અને વ્યૂહરચના પણ તેઓ નક્કી કરે છે. તેઓ RCBમાં બિઝનેસ પાર્ટનરશિપના વડા પણ રહી ચૂક્યા છે. નિખિલ સોસલે પાછલા ઘણા વર્ષોથી RCBની માર્કેટિંગ અને બિઝનેસ સ્ટ્રેટેજી સાથે સંકળાયેલા છે. જેથી તેમણે RCBની જીતની ઉજવણીની વિક્ટ્રી પરેડની વ્યવસ્થા અને સંચાલનનું નિરીક્ષણ કર્યું હશે, એવી આશંકા સેવાઈ રહી છે.

આપણ વાંચો: ચૅમ્પિયન ખેલાડીઓની ઇવેન્ટ માટે છેલ્લી ઘડીએ પરવાનગી મળતાં લાખો લોકોમાં નાસભાગ થઈ?

એરપોર્ટ પરથી કરવામાં આવી ધરપકડ

કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાના આદેશથી પોલીસે FIR નોંધ્યો હતો. FIRમાં નોંધાયેલા લોકોની ધરપકડ કરવાની પોલીસે કવાયત હાથ ધરી હતી. જેને લઈને શુક્રવારે સવારે 6.30 વાગ્યાની આસપાસ બેંગલુરુના કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી નિખિલ સોસલેની ધરપકડ કરીને પોલીસે પૂછપરછ હાથ ધરી છે.

સુનિલ મેથ્યુ અને કિરણ કુમારની કરી પૂછપરછ

નિખિલ સોસલે સિવાય પોલીસે ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની DNA એન્ટરટેઈનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડના ત્રણ સભ્યોની પણ ધરપકડ કરી છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ DNA એન્ટરટેઈનમેન્ટ પ્રા. લિ.ના સુનિલ મેથ્યુ અને કિરણ કુમારની પૂછપરછ કરવામાં આવી રહી છે.

નિખિલ સોસલેને વિરાટ કોહલી કરે છે ફોલો

ઉલ્લેખનીય છે કે નિખિલ સોસલે છેલ્લા 13 વર્ષથી ડિયાઝીઓ કંપની સાથે જોડાયેલા છે. તેઓ ઘણીવાર વિરાટ કોહલીના પત્નિ અનુષ્કા શર્મા સાથે RCBના પ્રાઈવેટ બોક્સમાં પણ નજરે પડ્યા છે. વિરાટ કોહલી પણ તેને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button