નેશનલ

જૈશ-એ-મોહમ્મદના નામે રાજસ્થાનના રેલવે સ્ટેશનોને બોમ્બથી ઉડાવવાની ધમકી: એજન્સીઓ સતર્ક…

જયપુર: રાજસ્થાનના અનેક રેલવે સ્ટેશનો પર બોમ્બ વિસ્ફોટની ધમકી આપતો પત્ર મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. પત્ર મળ્યા બાદ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. કોટા રેલવે ડિવિઝન સ્ટેશનો પર પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. રેલવેને મળેલા ધમકીભર્યા પત્રમાં કોટા રેલવે ડિવિઝનના બુંદી સ્ટેશનનું નામ પણ સામેલ છે, જેને લઈને સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો :દિવાળી વેકેશનમાં રાજસ્થાન ફરવા થઈ જાવ તૈયાર: રેલવેએ શરૂ કરી બે સ્પેશિયલ ટ્રેન

કોટા રેલ્વે સ્ટેશન પર મુસાફરોના સામાનની પણ સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે. ઉપરાંત શંકાસ્પદ લોકો પર પણ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. જો કે હાલ કોટા રેલ્વે સ્ટેશનનું નિર્માણ કાર્ય પણ ચાલી રહ્યું હોય, નિર્માણ કાર્યમાં આવતા માલસામાનની તપાસ કરવા માટે એક ટીમ બનાવવામાં આવી છે.

કોટા રેલવે ડિવિઝનના સ્ટેશનો પર બોમ્બની ધમકી મળ્યા બાદ ક્યાંકને ક્યાંક પોલીસનું ગુપ્તચર તંત્ર પણ સક્રિય થઈ ગયું છે. આજે આરએસએસના વડા મોહન ભાગવત પણ કોટા આવવાના છે અને આ દરમિયાન કોટા રેલ્વે સ્ટેશન પર સુરક્ષાને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. હાલમાં સુરક્ષાના હેતુથી બુંદી રેલ્વે સ્ટેશન પર ડોગ સ્કવોડ સહિત પોલીસ ફોર્સ તૈનાત કરી દેવામાં આવી છે. આ સાથે કોટા રેલવે સ્ટેશન પર આવતી ટ્રેનોનું પણ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, કોટા રેલવે સ્ટેશનને દિલ્હી-મુંબઈ રેલવે લાઇન પર એક મહત્વપૂર્ણ સ્ટેશન માનવામાં આવે છે. અહીંથી મુંબઈ અને દિલ્હી માટે ઘણી ટ્રેનો ઉપડે છે. આવી સ્થિતિમાં લાંબા રૂટની ટ્રેનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. રેલવે અધિકારીઓનું કહેવું છે કે કોટા રેલવે ડિવિઝનને પહેલાથી જ ધમકીઓ મળી ચુકી છે, પરંતુ હંમેશા મામલાની ગંભીરતાને સમજીને સુરક્ષાને વધુ મજબૂત કરવામાં આવી છે.

પોલીસે જણાવ્યું કે મંગળવારે હનુમાનગઢ રેલ્વે સ્ટેશન પર એક કથિત ધમકી ભર્યો પત્ર મળ્યો હતો. હનુમાનગઢના અધિક પોલીસ અધિક્ષક પ્યારે લાલ મીણાએ જણાવ્યું કે એક પરબિડીયામાં સીલ કરાયેલો પત્ર હનુમાનગઢ સ્ટેશન માસ્ટરને પોસ્ટ દ્વારા મોકલવામાં આવ્યો હતો. સ્થાનિક પોલીસને સાંજે આ અંગેની માહિતી મળી હતી. તેમણે કહ્યું કે, પત્રમાં જૈશ-એ-મોહમ્મદના નામે ધમકી આપવામાં આવી છે કે 30 ઓક્ટોબરે ગંગાનગર, હનુમાનગઢ, જોધપુર, બિકાનેર, કોટા, બુંદી, ઉદયપુર, જયપુરના રેલવે સ્ટેશન અને શહેરો પર હુમલો કરવામાં આવશે. બોમ્બમારો.”

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત