
જયપુરઃ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાના વિરોધમાં રાજપૂત કરણી સેના સહિત અન્ય કેટલાક સંગઠનો દ્વારા આજે એટલે કે બુધવારે રાજસ્થાન બંધનું એલાન કરવામાં આવ્યું છે. ગોગામેડીની મંગળવારે જયપુરમાં તેમના ઘરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
ત્રણ બદમાશો વાત કરવાના બહાને તેમના ઘરમાં ઘુસ્યા હતા. હુમલાખોરોએ જે નિર્ભય રીતે આ હત્યાકાંડને અંજામ આપ્યો તેનાથી અતીક અહેમદ અને અશરફની ઘટનાઓની યાદો તાજી થઈ ગઈ. આ ઘટના બાદ રાજ્યમાં તણાવની સ્થિતિ છે. આ સનસનાટીભરી હત્યા બાદ ગોગામેડીના સમર્થકો ગુસ્સે છે અને હુમલાખોરોની ધરપકડ માટે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેને ધ્યાનમાં રાખીને કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
જયપુર, જોધપુર, અલવર સહિત અનેક જગ્યાએથી દેખાવો થયાના અહેવાલ છે. જયપુર પોલીસ કમિશ્નર બિજુ જ્યોર્જ જોસેફે જણાવ્યું કે હજુ સુધી કોઈ આરોપીની ધરપકડ કે અટકાયત કરવામાં આવી નથી. હત્યામાં સામેલ બે શૂટરોની ઓળખ થઈ ગઈ છે. એક રાજસ્થાનના મકરાણાના જ્યુસરીના રોહિત રાઠોડ અને બીજા હરિયાણાના મહેન્દ્રગઢના નીતિન ફૌજી. જયપુર પોલીસ બંનેની ધરપકડ માટે સતત દરોડા પાડી રહી છે.
સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે. મંગળવારે બપોરે અપરાધીઓ ગોગામેડીની ઑફિસમાં આવ્યા હતા. હુમલાખોરો સુખદેવ સિંહ નવીન સિંહ શેખાવત સાથે ગોગામેડીની ઓફિસમાં આવ્યા હતા. નવીન સિંહ ગોગામેડીનો પરિચિત હતો. તેઓ બ્લેક સ્કોર્પિયોમાં આવ્યા હતા, જેને નવીન સિંહ શેખાવતે ચલાવી હતી. કદાચ આ જ કારણ છે કે ત્રણેયની યોગ્ય તપાસ કરવામાં આવી ન હતી.

જે ગોગામેડીના મૃત્યુનું કારણ બન્યું હતું. બંને હુમલાખોરોએ ગોગામેડી પર ગોળીબાર કર્યો ત્યારે તેમની સાથે રહેલા નવીન સિંહ શેખાવતે તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો અને આ દરમિયાન બંને હુમલાખોરોએ નવીન પર પણ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ દરમિયાન પ્રથમ ગોળી સુખદેવ સિંહ ગોગામેડીની છાતીમાં વાગી હતી.
બીજી ગોળી બાજુમાં બેઠેલા તેના સાથી પર વાગી હતી. ત્રીજી ગોળી ગોગામેડીના રૂમમાંથી ભાગી રહેલા અન્ય ગાર્ડને વાગી હતી. ગોગામેડી જમીન પર પટકાયા પછી પણ, તેની નજીક જઈને અને તેને નજીકથી માથા પર ગોળી મારીને કોઈ પણ સંજોગોમાં તે જીવે નહીં એ નિશ્ચિત કરવામાં આવ્યું હતું. હુમલાખોરોએ એક પછી એક 17 રાઉન્ડ ગોળીબાર કર્યો હતો અને બાદમાં સ્કૂટર છીનવીને ફરાર થઈ ગયા હતા. મળતી માહિતી મુજબ ગોગામેડીએ પોલીસ પાસે રક્ષણ માંગ્યું હતું, પરંતુ તેમને સુરક્ષા આપવામાં આવી નહોતી.
લોરેન્સ ગેંગના ગેંગસ્ટર રોહિત ગોદરાએ રાજપૂત કરણી સેના પ્રમુખ ગોગામેડીની હત્યાની જવાબદારી લીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે તેણે 19 વર્ષની ઉંમરમાં ગુનાની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. તે અત્યાર સુધીમાં 15 વખત જેલમાં જઈ ચૂક્યો છે. રોહિત ગોદારા બીકાનેરના કાલુ પોલીસ સ્ટેશનનો મોસ્ટ વોન્ટેડ છે. તેની સામે 32થી વધુ ગુનાહિત કેસ નોંધાયેલા છે. તેનું નામ સિદ્ધુ મૂઝવાલા મર્ડર કેસમાં પણ સામે આવ્યું છે. તેના પર 1 લાખ રૂપિયાનું ઈનામ પણ છે.
દરમિયાન કોંગ્રેસના ને