નેશનલ

સીબીઆઈ કરશે રાજા રઘુવંશી મર્ડર કેસની તપાસ, મોહન યાદવે ગૃહ પ્રધાન અમિત શાહને કરી અપીલ…

નવી દિલ્હીઃ ઈન્દોરનું કપલ રાજા રઘુવંશી અને સોનમ રઘવુંશી શિલોંગમાં લાપતા થયા હતું. રાજા રઘવુંશીની લાશ મળ્યા બાદ હવે પોલીસે તપાસ તેજ કરી છે. મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન મોહન યાદવે આ મામલે સીબીઆઈ તપાસની માંગ કરી છે.

મોહન યાદવે સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર લખ્યું, સંકટના આ સમયમાં મધ્ય પ્રદેશ સોનમ રઘુવંશીના પરિવાર સાથે છે. મેં આ અંગે મેઘાલયના મુખ્ય પ્રધાન સાથે ચર્ચા કરી છે. મધ્ય પ્રદેશના વરિષ્ઠ પોલીસ અધિકારી મેઘાલયના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે.

મોહન યાદવે લખ્યું, આ પ્રકરણમાં સીબીઆઈ તપાસ માટે મેં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને પણ વિનંતી કરી છે. સોનમ રઘુવંશીની સુરક્ષિત વાપસી માટે શક્ય તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

ઈન્દોરના રહેવાસી રાજા રઘુવંશી અને સોનમ રઘુવંશીના તાજેતરમાં લગ્ન થયા હતા. કપલે મેઘાલયમાં હનીમૂન મનાવવાનો પ્લાન કર્યો હતો. શિલોંગ ગયા બાદ થોડા દિવસોમાં પતિ-પત્ની લાપતા બન્યા હતા. 2 જૂને રાજાનો મૃતદેહ મળ્યો હતો પરંતુ સોનમની હજુ સુધી કોઈ ભાળ મળી નથી. જેનાથી પરિવારજનોની ચિંતા વધી ગઈ છે.

સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ રઘુવંશીના પરિવારજનોએ કહ્યું, અમને મધ્ય પ્રદેશ ભાજપ અને કોંગ્રેસ બંનેમાંથી સારું સમર્થન મળી રહ્યું છે. મેઘાલય સરકાર આ મામલે થોડો સહયોગ આપે તેમ ઈચ્છીએ છીએ. ત્યાંનું તંત્ર બરાબર કામ કરતું નથી. ઘટનાસ્થળના 50 મીટર સુધી જ સર્ચ કરી રહ્યા છે. જે સીસીટીવી ફૂટેજ શેર કરવામાં આવ્યા છે તે પણ શંકાસ્પદ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button