ટોપ ન્યૂઝનેશનલ

પોલીસથી બચવા સોનમનો નવો ઢોંગ! મુખ્ય આરોપી સહિત પાંચેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરાશે…

શિલોંગઃ રાજા રઘુવંશી હત્યાકાંડમાં અનેક નવા ખુલાસાઓ થયા છે. આ કેસમાં પોલીસ રાજાની પત્ની સોનમને મુખ્ય આરોપી માની રહી છે. સોનમના જવાબો અને તેનું વર્તન વધારે શંકાસ્પદ લાગી રહ્યું છે. રાજા રઘુવંશીની હત્યાના આરોપમાં પોલીસે સોનમ રઘુવંશીની ધરપકડ કરી છે. જો કે, પોલીસની પૂછપરછ દરમિયાન સોનમ પોતાને બચાવવા માટે દરેક યુક્તિ અજમાવી રહી છે. પતિની હત્યા લૂંટારાઓ કરી હોવાનું દર્શાવવા માંગે છે. હવે સોનમ પોતાની યાદશક્તિ ગુમાવી દીધી હોવાનો ડોળ કરવાનો પ્રયત્ન કરી રહી છે. પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવેલા ઘણા પ્રશ્નોના જવાબમાં સોનમ ‘મને કંઈ યાદ નથી’ હોવાનો જવાબ આપે છે. જેથી પોલીસ માટે પૂછપરછ કરવી વધારે મુશ્કેલી બની ગઈ છે.

પોલીસથી બચવા સોનમે કર્યો યાદશક્તિ ગુમાવી હોવાનો ઢોંગ
સોનમ રઘુવંશી એવુ બતાવવાનો પ્રયાસ કરી રહી છે કે પતિની હત્યાના આઘાતને કારણે તેની યાદશક્તિ જતી રહી છે. જેને અંગ્રેજીમાં ટ્રોમા ઇન્ડ્યુસ્ડ એમનેશિયા પણ કહેવામાં આવે છે, પરંતુ આ કેસમાં આ માત્ર એક ઢોંગ હોવાનું પોલીસને લાગી રહ્યું છે. સોમવારે યુપીના ગાઝીપુરમાં કસ્ટડીમાં લેવામાં આવ્યા બાદ, યુપી પોલીસે સોનમને કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા. દરમિયાન, શિલોંગ અને ઇન્દોર પોલીસ સમગ્ર કેસની તપાસ કરી કડીઓ જોવા માટે પ્રયત્ન કરી રહી છે.

મેઘાલયમાં ગુમ થયેલી સોનમ ઇન્દોર પાછી આવી હતી
રાજા રઘુવંશી હત્યા કેસમાં વધુ એક ખુલાસો એવો પણ થયો છે કે, હત્યા બાદ મેઘાલયમાં ગુમ થયેલી સોનમ રઘુવંશી ઇન્દોર પાછી ફરી હતી અને દેવાસ નાકા વિસ્તારમાં એક ફ્લેટમાં ત્રણ દિવસ સુધી છુપાઈને રહી હતી. પોલીસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, સોનમ 25 થી 27 મે સુધી ઇન્દોરમાં રહી હતી અને ત્યારબાદ તે ફરાર થઈ હતી. હવે તેને શિલોંગ લાવવામાં આવી છે, જ્યાં તેને તબીબી તપાસ બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

આજે ગમે ત્યારે સોનમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે
હત્યાકાંડ કેસની મુખ્ય આરોપી સોનમ રઘુવંશીને ગુવાહાટી એરપોર્ટથી શિલોંગ લાવવામાં આવી હતી, જ્યાં પોલીસ સ્ટેશનમાં તબીબી તપાસ અને ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તબીબી તપાસ માટે ગણેશ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં બે કલાક સુધી તપાસ ચાલુ રહી. આજે ગમે ત્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસ કોર્ટ પાસે સોનમ સહિત અન્ય આરોપીઓના રિમાન્ડની માંગ કરશે.

તબીબી તપાસ કરાવ્યા પછી તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે
સોનમની ધરપકડ બાદ વધુ ચાર આરોપીઓ રાજ કુશવાહ, વિશાલ ચૌહાણ, આનંદ કુર્મી અને આકાશ રાજપૂતની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ ચારેય આરોપીઓને મેઘાલય પોલીસની 12 સભ્યોની ટીમ દ્વારા ઇન્દોર અને ઉત્તર પ્રદેશથી ધરપકડ કરવામાં આવી હતી અને શિલોંગ લઈ જવામાં આવ્યા હતા. મેઘાલય પોલીસની એક ખાસ ટીમ ગુવાહાટી એરપોર્ટ પર પહેલાથી જ તૈનાત હતી, જે આરોપીઓને ભારે સુરક્ષા વચ્ચે શિલોંગ લઈ જશે. પોલીસ હવે તેમની તબીબી તપાસ કરાવ્યા પછી તેમને કોર્ટમાં રજૂ કરવાની તૈયારી કરી રહી છે, જ્યાં રિમાન્ડની માંગણી કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button