Rahul Gandhi રાયબરેલી પહોંચ્યા, ચુરુવા હનુમાન મંદિરમાં પૂજા કરી

રાયબરેલી : ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને રાયબરેલીના સાંસદ રાહુલ ગાંધી(Rahul Gandhi)મંગળવારે તેમના સંસદીય મતવિસ્તાર પહોંચ્યા. રાહુલે મંગળવારે હનુમાનજીના દર્શન કર્યા હતા. કોંગ્રેસ નેતા બછરાવનમાં ચુરુવા હનુમાન મંદિર પહોંચ્યા અને પૂજા કરી. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને રાયબરેલીના સાંસદ સોનિયા ગાંધી પણ આ મંદિરની મુલાકાત લેતા હતા. લોકસભા ચૂંટણી દરમિયાન મતદાનના દિવસે રાહુલે પીપલેશ્વર હનુમાનજી મંદિરના દર્શન કર્યા હતા.
રાહુલ ગાંધી રાયબરેલીથી ત્રણ લાખ 90 હજાર મતોના માર્જિનથી જીત્યા
કોંગ્રેસના જિલ્લા અધ્યક્ષ પંકજ તિવારીએ કહ્યું કે રાહુલ ગાંધી સવારે 10 વાગે ભૂમૌ ગેસ્ટ હાઉસ પહોંચશે જ્યાં તેઓ કાર્યકર્તાઓને મળશે. તાજેતરમાં પૂર્ણ થયેલી લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી રાયબરેલીથી ત્રણ લાખ 90 હજાર મતોના માર્જિનથી જીત્યા હતા. ચૂંટણી જીત્યા બાદ તેમણે પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી સાથે કાર્યકર્તા સંમેલન કર્યું હતું. હવે મંગળવારે તેમના આગમનનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે.
ચૂંટણી જીત્યા બાદ રાહુલ ગાંધી બીજી વખત રાયબરેલી પહોંચ્યા
ઉત્તર પ્રદેશના રાયબરેલીની મુલાકાત દરમિયાન રાહુલ ગાંધી કાર્યકર્તાઓને સાંભળશે અને જિલ્લાના વિકાસ કાર્યો અંગે ચર્ચા કરશે. તેવો ભૂમૌ ગેસ્ટ હાઉસ ખાતેની બેઠક દરમિયાન તેઓ સંગઠનને વધુ મજબૂત કરવા અંગે ચર્ચા કરશે.
શહીદ કેપ્ટન અંશુમાન સિંહના પરિવારજનો મળશે
ન્યૂઝ એજન્સી અનુસાર, આ દરમિયાન રાહુલ ગાંધી તેમની માતા અને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના ફંડમાંથી કરવામાં આવેલા કામોની માહિતી પણ લેશે. યુપી કોંગ્રેસના પ્રવક્તા અંશુ અવસ્થીએ કહ્યું કે રાહુલ ગાંધી તેમની મુલાકાત દરમિયાન કેટલાક મહાનુભાવોને મળશે અને વિસ્તારના વિકાસ વિશે જાણશે. તેમની મુલાકાતને લઈને સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે.આ સાથે રાહુલ ગાંધી શહીદ કેપ્ટન અંશુમાન સિંહના પરિવારજનો અને કોંગ્રેસ કાર્યકર્તાઓને પણ મળશે.
Also Read –