ટોપ ન્યૂઝનેશનલ

પુરીની રથયાત્રામાં ભગવાન બલભદ્રના રથને ખેંચતી વખતે 500થી વધુ ભક્તો ઘાયલ થયા, આઠની હાલત ગંભીર…

ભુવનેશ્વર : ઓડિશાના પુરીમાં આજથી શરૂ થયેલ રથયાત્રા ઉત્સવની શરૂઆત થઇ છે. જેમાં આજે રથ ખેંચવા દરમિયાન દુર્ઘટના ઘટી છે. જેમાં ભગવાન બલભદ્રના રથ તાલધ્વજ રથને ખેંચવા માટે ભીડ ઉમટી પડતાં 500 થી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. મીડિયા અહેવાલ મુજબ આઠ લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. જ્યારે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

જેમાં મળતી માહિતી મુજબ ભગવાન બલભદ્રના રથ તાલધ્વજ રથને ખેંચવા લોકોને દરમિયાન ઇજાઓ થઈ હતી .જ્યારે ભક્તો રથના દોરડા પકડવા દોડયા હતા. જેના કારણે ભાગદોડ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી.

પુરી રથયાત્રાનું મહત્વ
રથયાત્રા એ પુરીનો વાર્ષિક ઉત્સવ છે જે ભગવાન જગન્નાથજી તેમના ભાઈ-બહેન ભગવાન બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે પુરી મંદિરથી ગુંડીચા સુધીની યાત્રા કરવામાં આવે છે. જે લગભગ 2.5 કિલોમીટર દૂર છે.

ગત વર્ષે પણ અકસ્માત સર્જાયો હતો
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષેમાં રથયાત્રા ઉત્સવ દરમિયાન પણ એક અકસ્માત થયો. જેમાં ભગવાન બલભદ્રની મૂર્તિને રથમાંથી ગુડીંચા મંદિર લઈ જતી વખતે તે સેવકો પર પડી. આ અકસ્માતમાં જગન્નાથ મંદિરના નવ સેવકો ઘાયલ થયા હતા. ભગવાનને મૂર્તિ લઈ જઈ રહેલા લોકોએ અચાનક પોતાનું સંતુલન ગુમાવ્યું. જેના કારણે આ અકસ્માત થયો. એક ઘાયલ સેવાદારે જણાવ્યું કે મૂર્તિ સાથે બાંધેલા દોરડામાં કોઈ સમસ્યાને કારણે આ અકસ્માત થયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button