પુણે-દિલ્હીની ફ્લાઈટ રદ, જાણો શું છે મામલો?

પુણેઃ અમદાવાદ એર ઈન્ડિયાની ફ્લાઈટ દુર્ઘટના બાદ એરલાન્સ ચર્ચાનું કેન્દ્ર બની છે. આ એરલાઈન્સની ફ્લાઈટોમાં વારંવાર ટેકનિકલ ખામીઓની ચર્ચા થઈ રહી છે. ત્યારે આજે ફરી એક વખત એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર AI2470 પક્ષી અથડાવાને કારણે રદ કરવાની ફરજ પડી હતી. આ ફ્લાઈટ પુણેથી દિલ્હી જતી ફ્લાઈટને પક્ષી ટકરાવવાને કારણે પુણેમાં રદ કરવાની ફરજ પડી હતી ત્યાર બાદ પ્રવાસીઓ માટે વૈકલ્પિક સુવિધા એરલાઈન્સ તરફથી કરી આપવામાં આવી હતી.
એર ઈન્ડિયાએ 15 ટકા ફ્લાઈટમાં કાપ મુક્યો
12 જૂનના અમદાવાદની વિમાન દુર્ઘટના પછી વૈશ્વિક તણાવ સહિતના વિવિધ કારણોસર એરલાઈન્સે 21 જૂનથી 15 જુલાઈ સુધી 16 આંતરરાષ્ટ્રીય માર્ગો પર ફ્લાઈટ્સ ઘટાડવાનો અને 3 માર્ગો પર સેવાઓ સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. એટલે કે 15 જુલાઈ સુધી વિમાનોની ઉડાનોમાં 15 ટકા કાપ મૂકવામાં આવશે, જેથી કાર્યક્રમની સ્થિરતા જળવાય અને મુસાફરોની અસુવિધા ઘટે.
બર્ડ હિટના કારણે ફ્લાઈટ થઈ રદ
ગુરુવારે દિલ્હીથી પૂર્ણ આવતી ફ્લાઈટમાં બર્ડ હિટની ઘટના ઘટી હતી. એર ઈન્ડિયાની ફ્લાઈટ AI2470 પક્ષી સાથે ટકરાઈ, વિમાન પુણે એરપોર્ટ પર લેન્ડ થયા બાદ આ અકસ્માતની જાણ થઈ હતી. જેના કારણે આ ફ્લાઈટને 20 જૂન માટે પૂર્ણથી દિલ્હી મુસાફરી માટે રદ કરવામાં આવી હતી. એરલાઈન્સે આ ફ્લાઈટ રદ્દ કરી અને વિમાનને તપાસ માટે રોક્યું હતુ. મુસાફરોને દિલ્હી પહોંચાડવા વૈકલ્પિક ફ્લાઈટની વ્યવસ્થા કરવામાં આવી.
એર ઈન્ડિયાએ 8 ફ્લાઈટ્સ રદ કરી
જ્યારે બીજી બાજું શુક્રવારે એર ઈન્ડિયાએ 8 ફ્લાઈટ્સ રદ્દ કરી હોવાની માહિતી મળી હતી. જેમાં 4 આંતરરાષ્ટ્રીય ફ્લાઈટનો સમાવેશ થતો હતો. એર ઈન્ડિયાએ દુબઈ-ચેન્નાઈ AI906, દિલ્હી-મેલબોર્ન AI308, મેલબોર્ન-દિલ્હી AI309, દુબઈ-હૈદરાબાદ AI2204 અલગ અલગ કારણોથી રદ કરવાનો નિર્ણય કર્યો હતો. આ ઉપરાંત 4 સ્થાનિક પુણે-દિલ્હી AI874, અમદાવાદ-દિલ્હી AI456, હૈદરાબાદ-મુંબઈ AI2872, ચેન્નાઈ-મુંબઈ AI571 ફ્લાઈટ્સને પણ રદ કરી હતી. એરલાઈન્સે જણાવ્યું કે જાળવણી અને પરિચાલન સમસ્યાઓને કારણે આ નિર્ણય લેવાયો. મુસાફરોને સંપૂર્ણ રિફંડ અથવા રીશેડ્યૂલિંગનો વિકલ્પ આપ્યા છે.
એર ઈન્ડિયાની 83 ફ્લાઈટ્સ રદ
આપને જણાવી દઈએ કે, 12 જૂનથી 20 જૂન, 2025 સુધી એર ઈન્ડિયાએ કુલ 83 ફ્લાઈટ્સ રદ્દ કરી હતી, જેમાંથી 66 ફ્લાઈટ્સ બોઈંગ 787 ડ્રીમલાઈનરની હતી. આ માહિતી ભારતના નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય (DGCA) દ્વારા જણાવવામાં આવી હતી. આ રદ્દ ફ્લાઈટ્સમાં આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બંને ઉડાનોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો - એર ઈન્ડિયાએ આઠ ફલાઇટ રદ કરી, 4 આંતરરાષ્ટ્રીય ફલાઇટનો પણ સમાવેશ
પુણે-દિલ્હી ફ્લાઈટસને રદ્દ કરી
મુખ્યત્વે 12 જૂનના અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ વધેલી સુરક્ષા તપાસ અને જાળવણીના કારણોસર રદ્દ કરવામાં આવી હતી. 20 જૂનના રોજ ખાસ કરીને 8 ફ્લાઈટ્સ (4 આંતરરાષ્ટ્રીય અને 4 સ્થાનિક) રદ્દ કરાઈ હતી, જેમાં પુણે-દિલ્હી ફ્લાઈટ AI2470નો પણ સમાવેશ થાય છે, જે પક્ષી સાથે અથડામણને કારણે રદ્દ થઈ હતી.