ગણિતના અભ્યાસક્રમ સામે 900થી વધુ રિસર્ચરોનો વિરોધઃ UGCને કરી અપીલ | મુંબઈ સમાચાર
નેશનલ

ગણિતના અભ્યાસક્રમ સામે 900થી વધુ રિસર્ચરોનો વિરોધઃ UGCને કરી અપીલ

અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમના ડ્રાફ્ટમાં ગંભીર ખામીઓ, જો લાગુ થયો તો વિદ્યાર્થીઓના ભવિષ્યને થશે નુકસાન

નવી દિલ્હીઃ UGC (યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન) દ્વારા ગણિતના અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમના ડ્રાફ્ટમાં અનેક ખામીઓ હોવાનો દાવો કરતા 900થી વધુ રિસર્ચર્સે તેને પાછો ખેંચવા અપીલ કરી છે. તેમણે દાવો કર્યો હતો કે તેમાં “ગંભીર ખામીઓ” છે અને જો તેને લાગુ કરવામાં આવશે તો તે વિદ્યાર્થીઓની અનેક પેઢીઓના ભવિષ્યને નુકસાન પહોંચાડશે.

ગયા મહિને યુજીસીએ ગણિત સહિત નવ વિષયો માટે અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમનો ડ્રાફ્ટ જાહેર કર્યો હતો અને તેના પર અભિપ્રાયો આમંત્રિત કર્યા હતા. યુજીસીના ચેરમેનને મોકલવામાં આવેલી અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે બીજગણિત, વાસ્તવિક વિશ્લેષણ અને વ્યવહારુ ગણિત જેવા વિષયોને યોગ્ય કવરેજ આપવામાં આવ્યું નથી.

આપણ વાંચો: યુનિવર્સિટી કેમ્પસમાં પ્રાણીઓને મળશે ખોરાક અને આશ્રય; UGCએ આપ્યા નિર્દેશ

અરજીમાં કહેવામાં આવ્યું છે કે બીજગણિતને ઓછું આંકવામાં આવ્યુ છે. અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમમાં બીજગણિતના ઓછામાં ઓછા ત્રણ અભ્યાસક્રમો જરૂરી રહેશે. ગણિતનું ભવિષ્ય અને વાસ્તવમાં દેશમાં તમામ વૈજ્ઞાનિક પ્રયાસોનું ભવિષ્ય દાવ પર છે.

નિષ્ણાંતોએ ચેતવણી આપી હતી કે પ્રોગ્રામિંગ, સંખ્યાત્મક પદ્ધતિઓ અને આંકડાશાસ્ત્ર જેવા મહત્વપૂર્ણ વિષયોને મૂળ પાઠ્યક્રમમાં સામેલ કરાયા નથી અથવા તો વ્યવહારુ તાલીમ વિના ઉપરછલ્લી રીતે પ્રદાન કરવામાં આવે છે. એપ્લાઇડ ગણિતને ઓછું મહત્વ આપવામાં આવ્યું છે.

પ્રોગ્રામિંગ અને સંખ્યાત્મક પદ્ધતિઓ મુખ્ય ભાગની બહાર છે. આંકડાશાસ્ત્ર એક અભ્યાસક્રમમાં આપી દેવામાં આવ્યું છે. આંકડાશાસ્ત્ર, મશીન લર્નિંગ, એઆઈ વગેરેના અભ્યાસક્રમોમાં વ્યવહારુ અને એપ્લિકેશન આધારિત ઘટક હોવું સ્વાભાવિક છે. આ તક ગુમાવી દેવામાં આવી છે.

આપણ વાંચો: UGCના રડારમાં 89 શૈક્ષણિક સંસ્થાનો: ચાર IIT, ત્રણ IIM સહિતની કોલેજોને રેગિંગ વિરોધી નિયમો ભંગ બદલ નોટિસ

કલા ગણિત, ભારતીય બિજગણિત, ભારતીય પરંપરામાં ‘પુરાણો’નું મહત્વ, નારદ પુરાણમાં જોવા મળતા મૂળભૂત અંકગણિત કામગીરી અને ભૂમિતિ સંબંધિત ગાણિતિક ખ્યાલો અને ટેકનિકો પર ધ્યાન કેન્દ્રિત કરવું, તે ખ્યાલોમાં સામેલ છે જે યુજીસી અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને ગણિતમાં અભ્યાસ કરાવવા માંગે છે.

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 હેઠળ લર્નિંગ આઉટકમ્સ-આધારિત અભ્યાસક્રમ માળખા સાથે અનુરૂપ, ડ્રાફ્ટ અભ્યાસક્રમ અનુસાર ભારતીય બિજગણિતનો ઈતિહાસ અને વિકાસ શીખવવાની ભલામણ કરી છે. અભ્યાસક્રમમાં પંચાંગ જેવા ખ્યાલો અને ધાર્મિક વિધિઓ અને તહેવારોમાં વપરાતા મુહૂર્ત કેવી રીતે નક્કી થાય છે તે શીખવવાનો પણ સમાવેશ થાય છે.

પ્રસ્તાવિત અભ્યાસક્રમ ખગોળશાસ્ત્ર, પૌરાણિક કથાઓ અને સંસ્કૃતિનું મિશ્રણ કરે છે. જે ભારતના સમૃદ્ધ સમય-વિજ્ઞાન વારસાને જીવંત બનાવે છે. તે પ્રાચીન વેધશાળાઓ, ઉજ્જૈનના મુખ્ય મધ્યવર્તી રેખા અને પ્રાચીન ભારતીય વૈદિક સમયના એકમો, ઘટી અને વિઘટી, ગ્રીનવિચ મીન ટાઇમ અને ભારતીય માનક સમય જેવી આધુનિક પ્રણાલીઓ સાથે કેવી રીતે તુલના કરે છે તે પણ આવરી લે છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button