નેશનલ

રાજા રઘુવંશી હત્યાકાંડ કેસમાં પોલીસને 3 મહત્વપૂર્ણ પુરાવા મળ્યા! સોનમ, રાજ અને તેના સાગરિતોને જેલ પાક્કી

ઇન્દોરઃ ઇન્દોરના રાજા રઘુવંશીની હત્યાનો કેસ 99% ઉકેલાઈ ગયો છે. આ કેસમાં પોલીસને જે સબૂત મળ્યાં છે તે તમામ આરોપીઓને સજા કરવા માટે પૂરતા છે. પોલીસે પ્રોપર્ટી બ્રોકર શિલોમ જેમ્સ અને હત્યા કેસના આરોપી લોકેન્દ્ર સિંહ તોમરની સઘન પૂછપરછ બાદ સોનમનું લેપટોપ, પિસ્તોલ અને 5 લાખ રૂપિયા રોકડા ભરેલી બેગ જપ્ત કરી હતી. રાજાની હત્યા કેસમાં પોલીસે કુલ 8 લોકોની ધરપકડ કરી લીધી છે. આ તમામ સામે પોલીસે પુખ્તા સબૂત હાંસલ કરી લીધા છે.

હત્યાકેસમાં સોનમનો બોયફ્રેન્ડ રાજ કુશવાહા છે માસ્ટર માઇન્ડ

પોલીસની તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે, રાજાની હત્યામાં સોનમ રઘુવંશીનો બોયફ્રેન્ડ રાજ કુશવાહા માસ્ટરમાઇન્ડ છે. રાજે જ સોનમને સંપૂર્ણ રીતે મદદ કરી હતું. હત્યા કેવી રીતે કરવી તેનું તમામ પ્રકારનું આયોજન રાજે કર્યું હતું. પોલીસે હત્યા કેસના અન્ય આરોપી વિશાલ ઉર્ફે વિક્કીએ પૂછપરછ કરી તો તેણે જણાવ્યું કે, ઇન્દોરમાં સોનમના ઠેકાણા પર એક કાળી બેગ તેણે જ પહોંચાડી હતી. આ બેગમાં 5 લાખ રૂપિયા રોકડા, ઘરેણાં, કપડાં અને દેશી બનાવટની પિસ્તોલ હતી. આ પિસ્તોલ હત્યા યોજના-બીનો ભાગ હતી. મતલબ કે આરોપીઓએ હત્યા કરવા માટે તમામ પ્રકારની તૈયારીઓ કરી હતી.

સીસીટીવી ફુટેજમાં પ્રોપર્ટી બ્રોકર શિલોમ જેમ્સની કરતૂત દેખાઈ

પ્રોપર્ટી બ્રોકર શિલોમ જેમ્સની પુરાવાનો નાશ કરવાના આરોપસર પોલીસે ધરપકડ કરી હતી. સીસીટીવી ફૂટેજમાં, શિલોમ ફ્લેટમાંથી એક કાળી બેગ લઈને કારમાં મૂકતો જોવા મળ્યો હતો. આ બેગ હત્યા સાથે સંબંધિત મહત્વપૂર્ણ પુરાવાઓનો ખજાનો હતો, જેનો શિલોમે નિકાલ કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે આ બેગમાં માટે સોનમના ઘરે તપાસ કરી હતી પરંતુ બેગ મળી નહોતી. ત્યારબાદ પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી હતી. આ સીસીટીવી ફુટેજમાં શીલોમનું સત્ય જાણવા મળ્યું હતું. આ ફ્લેટનો માલિક લોકેન્દ્ર સિંહ તોમર પણ પોલીસના રડાર પર છે અને તેમની પૂછપરછ ચાલી રહી છે. આ ફ્લેટ કાવતરાનું મુખ્ય કેન્દ્ર હતું, જ્યાં હત્યાની યોજનાને અંજામ આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો…રાજા રઘુવંશી હત્યાકાંડ: 25 દિવસમાં કર્યા 112 કોલ, સોનમને મદદ કરનાર એ મિસ્ટરી મેન કોણ?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button