નેશનલ

શું તમારુ પણ PNBમાં છે ખાતું? તો ફટાફટ કરી લો આ કામ નહીં તો…..

જો તમારું એકાઉન્ટ પંજાબ નેશનલ બેંક(PNB)માં છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. PNBએ તેના ખાતાધારકો માટે ફરીથી એક ચેતવણી જારી કરી છે. જેમના ખાતામાં બે વર્ષથી વધુ સમયથી કોઈ વ્યવહાર નથી થયો અને આ ખાતાઓમાં બેલેન્સ શૂન્ય છે, એવા ખાતાધારકોને બેંકે હવે ચેતવણી જારી કરી છે.

બેંકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર (હવે X) પર એક પોસ્ટ દ્વારા કહ્યું છે કે આવા એકાઉન્ટ્સ બંધ કરવામાં આવશે. તેથી જો તમે તમારા PNB ખાતામાં 3 વર્ષથી કોઈ ટ્રાન્ઝેક્શન કર્યું નથી, તો આ કામ જલ્દીથી જલ્દી કરો. આપણે જાણીએ કે બેંકે તેના ટ્વિટર એકાઉન્ટ પર શું ચેતવણી જારી કરી છે.

PNB એ તેના ટ્વિટર પર તેના ખાતાધારકો માટે એક ચેતવણી જારી કરી છે કે કૃપા કરીને ખાતરી કરો કે તમારા ખાતામાં તમે છેલ્લા બે વર્ષમાં ટ્રાન્ઝેક્શન કર્યા છે, જેથી તમારું ખાતુ બંધ ન કરી દેવામાં આવે. આ પહેલા પણ બેંક દ્વારા તેના ગ્રાહકોને ઘણી વાર એલર્ટ કરવામાં આવ્યા છે. જોકે, હાલમાં બેંકે સોશિયલ મીડિયા પર આપેલી ચેતવણીમાં કોઇ સમય મર્યાદા જણાવવામાં નથી આવી.

PNB દ્વારા ગ્રાહકોને ઘણી વાર ચેતવણી આપવામાં આવી છે કે જો બે-ત્રણ વર્ષથી ખાતાધારકો દ્વારા તેમના ખાતામાં કોઇ ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું નથી કે ખાતામાં બેલેન્સ નથી તો આવા ખાતાઓના થતા દુરૂપયોગને રોકવા માટે તેને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બેંક દ્વારા આવી ચેતવણીઓ ઘણી વાર જારી કરવામાં આવી છે, છતાંય હજી ઘણા એવા ખાતા છે, જેમાં છેલ્લા બે-ત્રણ વર્ષથી કોઇ ટ્રાન્ઝેક્શન થયા નથી. તેથી બેંકે હવે સોશિયલ મીડિયા દ્રારા એલર્ટ મોકલ્યું છે.
બેંક દ્વારા આ માહિતી 1લી મે 2024, 16મી મે 2024, 24મી મે 2024, 1લી જૂન 2024 અને 30મી જૂન 2024ના રોજ વેબસાઇટ અને સોશિયલ મીડિયા દ્વારા શેર કરવામાં આવી હતી. આ અસુવિધાથી બચવા માટે આવા તમામ ગ્રાહકોએ શક્ય તેટલી વહેલી તકે તેમનું એકાઉન્ટ એક્ટિવેટ કરવું પડશે.

ચેતવણીની સાથે, બેંકે ગ્રાહકોને એવી સુવિધા પણ આપી છે કે જો તેઓ તેમના ખાતા સંબંધિત કોઈપણ પ્રકારની માહિતી મેળવવા માંગતા હોય, અથવા કોઈ મદદ લેવા માંગતા હોય, તો તેઓ તેમની બેંક શાખાનો સીધો સંપર્ક કરી શકે છે. PNB મુજબ, જ્યાં સુધી ખાતાધારક સંબંધિત શાખામાં તેના ખાતાના KYC સંબંધિત તમામ જરૂરી દસ્તાવેજો સબમિટ ન કરે ત્યાં સુધી આવા ખાતાઓને ફરીથી સક્રિય કરી શકાતા નથી. એટલે કે, જો તમે તમારું એકાઉન્ટ સક્રિય રાખવા માંગતા હોવ તો આજે જ બેંક શાખામાં જાઓ અને તરત જ KYC કરાવો.

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…