પીએમ મોદીએ પાકિસ્તાનને આપી ચેતવણી, કહ્યું આતંકવાદ વિરુદ્ધ લડાઈ હજુ ચાલુ

ભોપાલ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂર બાદ દેશના વિવિધ રાજ્યોની મુલાકાત લઈ રહ્યા છે. ગુજરાત, બંગાળ, બિહાર, યુપી પછી હવે પીએમ મોદી મધ્યપ્રદેશના પ્રવાસે છે. ભોપાલમાં તેમણે દેવી અહલ્યાબાઈ મહિલા સશક્તિકરણ મહાસંમેલનને સંબોધિત કર્યું. આ દરમિયાન પીએમ મોદીએ ઘણી યોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. સીએમ મોહન યાદવે હોલ્કર વંશની પાઘડી પહેરીને પીએમ મોદીનું સ્ટેજ પર સ્વાગત કર્યું હતું.
આતંકવાદ સામેની લડાઈ ચાલુ
પીએમ મોદીએ તેમની ભોપાલ જાહેર સભામાં મધ્યપ્રદેશની પ્રથમ મેટ્રો રેલ, સતના અને દતિયા એરપોર્ટનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન પણ કર્યું. ઓપરેશન સિંદૂર અંગે પીએમ મોદીએ કહ્યું કે પહેલગામમાં આતંકવાદીઓએ માત્ર ભારતીયોનું લોહી વહેવડાવ્યું નથી તેમણે આપણી સંસ્કૃતિ પર પણ હુમલો કર્યો છે. તેમણે આપણા સમાજને વિભાજીત કરવાનો પ્રયાસ કર્યો છે. સૌથી મોટી વાત એ છે કે આતંકવાદીઓએ ભારતની મહિલા શક્તિને પડકાર ફેંક્યો છે. આ તેમના માટે અંત બની ગયો.
આ પણ વાંચો: પાકિસ્તાન મુદ્દે શશિ થરૂર થયા નારાજ, આખરે કોલંબિયાએ પોતાનું નિવેદન પાછું લીધું…
આતંકવાદ સામેની લડાઈ હજુ અટકી નથી
આપણી સેનાએ સેંકડો કિલોમીટર દૂર દુશ્મનના ઘરમાં ઘૂસીને તેમના આતંકવાદી કેમ્પોનો નાશ કર્યો. ઓપરેશન સિંદૂર ભારતના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું સફળ ઓપરેશન છે. આતંકવાદ સામેની લડાઈ હજુ અટકી નથી.
સિંદૂર આપણી પરંપરામાં સ્ત્રી શક્તિનું પ્રતીક
પીએમ મોદીએ કહ્યું કે ભારત સંસ્કૃતિ અને મૂલ્યોનો દેશ છે. સિંદૂર આપણી પરંપરામાં સ્ત્રી શક્તિનું પ્રતીક છે. રામની ભક્તિમાં ડૂબેલા હનુમાનજી પણ સિંદૂર લગાડે છે. આપણે શક્તિ પૂજામાં સિંદૂર ચઢાવીએ છીએ અને આ સિંદૂર હવે ભારતની શૌર્યનું પ્રતીક બની ગયું છે.
આ પણ વાંચો: “તુર્કિએ એરલાઇન્સ સાથે વિમાન લીઝ કરાર સમાપ્ત કરો” ઇન્ડિગોને ભારત સરકારનો નિર્દેશ
લોકમાતા દેવી અહિલ્યાબાઈ હોલકરજીની 300મી જન્મજયંતિ
પીએમ મોદીએ જાહેર સભાને સંબોધતા કહ્યું કે સૌ પ્રથમ હું ભારત માતા, ભારતની માતૃશક્તિને વંદન કરું છું. આજે આટલી મોટી સંખ્યામાં માતાઓ-બહેનો-પુત્રીઓ આપણને આશીર્વાદ આપવા માટે અહીં આવી છે. હું તમને બધાને જોઈને ધન્ય છું. આજે લોકમાતા દેવી અહિલ્યાબાઈ હોલકરજીની 300મી જન્મજયંતિ છે. આ 140 કરોડ ભારતીયો માટે પ્રેરણાદાયક પ્રસંગ છે. રાષ્ટ્ર નિર્માણ માટે થઈ રહેલા ભગીરથ પ્રયાસોમાં યોગદાન આપવાનો છે.
શાસનનો સાચો અર્થ લોકોની સેવા કરવાનો
તેમણે કહ્યું કે દેવી અહિલ્યાબાઈ કહેતા હતા કે શાસનનો સાચો અર્થ લોકોની સેવા કરવાનો અને તેમના જીવનને સુધારવાનો છે. આજનો કાર્યક્રમ તેમના વિચારોને આગળ લઈ જાય છે. આજે ઇન્દોર મેટ્રોનું ઉદ્ઘાટન થયું છે. દતિયા અને સતના પણ હવે હવાઈ સેવા સાથે જોડાયેલા છે.
આ પણ વાંચો: UNમાં ભારતનો ડંકો: ‘ઓપરેશન સિંદૂર’ના વખાણ, આતંકવાદ સામેની લડાઈમાં ભારતની સ્ટાઈલ ‘અનોખી’!
દતિયાથી પ્રથમ વિમાન મહિલા પાઇલટ ઉડાવશે
આ પૂર્વે પીએમ મોદી ખુલ્લી જીપમાં સ્ટેજ પર પહોંચ્યા હતા. આ દરમિયાન સીએમ મોહન યાદવ અને પ્રદેશ પ્રમુખ વીડી શર્મા તેમની સાથે હાજર હતા. ભોપાલની આ જાહેર સભામાં બધે ત્રિરંગા ધ્વજ જોવા મળ્યા હતા. દતિયાથી પ્રથમ વિમાન મહિલા પાઇલટ ઉડાવશે. જે મહિલા શક્તિના અસરકારક પ્રતિનિધિત્વનું પ્રતીક બનશે.