નેશનલ

હરિયાણાની રેલીમાં મોદી ગર્જયાઃ જમ્મુ-કાશ્મીરના મતદારોની કરી વાહવાહી ને કૉંગ્રેસને વખોડી…

ચંદીગઢઃ હરિયાણાની ચૂંટણીના પ્રચાર અર્થે સોનીપતમાં રેલી સંબોધી રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરના મતદારોની વાહવાહી કરી છે જ્યારે Congressની ટીકા કરી છે.

આ પણ વાંચો : ભાજપના જ વિધાનસભ્યએ આગ્રા પોલીસની પોલ ખોલી! કમિશનરેટને કહ્યા ‘કમિશન રેટ’

જમ્મુ-કાશ્મીરમાં બીજા તબક્કાના મતદાનનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે આ મતદાન શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે. પ્રથમ તબક્કામાં જમ્મુ-કાશ્મીરમાં જે રીતે મતદાનનો રેકોર્ડ તોડવામાં આવ્યો તે દુનિયાએ પણ જોયું. હું જમ્મુ-કાશ્મીરના લોકોની પ્રશંસા કરું છું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હરિયાણાના સોનીપતમાં ચૂંટણી રેલી (PM Modi હરિયાણા રેલી)ને સંબોધિત કરી રહ્યા છે. આ દરમિયાન પીએમએ કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું. પીએમે કહ્યું કે જેમ જેમ મતદાનનો દિવસ નજીક આવી રહ્યો છે તેમ તેમ કોંગ્રેસની હાર દેખાઈ રહી છે. હરિયાણામાં ભાજપનું સમર્થન વધી રહ્યું છે. હું ગર્વથી કહું છું કે હું જે પણ છું, તેમાં હરિયાણાનો પણ મોટો ફાળો છે. આજે આખું હરિયાણા ફરી એકવાર ભાજપની સરકાર ઈચ્છી રહ્યું છે.

આ પણ વાંચો : ‘કલયુગ આવી ગયો લાગે છે’ સુનાવણી દરમિયાન અલ્હાબાદ હાઈકોર્ટના જજે આવું કેમ કહ્યું

કોંગ્રેસ પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસનો રાજવી પરિવાર દેશનો સૌથી ભ્રષ્ટ પરિવાર છે, જો હાઈકમાન્ડ ભ્રષ્ટ હોય તો નીચે લૂંટવાનું ખુલ્લું લાયસન્સ મળી જાય છે. ખેડૂતોની જમીન લૂંટાઈ. જમાઈઓ અને દલાલોને રાજ્ય સોંપી દીધું, તેવો આક્ષેપ પણ તેમણે કર્યો હતો.

પીએમ મોદીએ કહ્યું કે આજે ભારતમાં વધુ એક પડકાર છે, જેના પર માત્ર ભાજપ જ વાત કરે છે. આપણા દેશમાં ખેતરોનું કદ પણ સતત ઘટી રહ્યું છે. જેમ જેમ કુટુંબ વધે છે તેમ તેમ જમીન ટુકડાઓમાં વહેંચાતી જાય છે. વસ્તી વધી રહી છે પણ ખેતરો નાના થઈ રહ્યા છે. ખેતી સાથે સંકળાયેલા અર્થશાસ્ત્રીઓનું પણ માનવું છે કે ખેતીની સાથે સાથે આવકના અન્ય સ્ત્રોત પણ હોવા જોઈએ. મોદીએ પોતાની અમેરિકાની મુલાકાતનો ઉલ્લેખ પણ કર્યો હતો.

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…