નેશનલ

PM Modi ત્રણ નવી વંદે ભારતને આવતીકાલે આપશે લીલીઝંડી, આ રાજ્યોને મળી ભેટ

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે એકસાથે ત્રણ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેડ આપશે. આવતીકાલે બપોરે ૧૨:૩૦ વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ત્રણ વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી આપશે. આ આધુનિક અને મેઈ ઈન ઈન્ડિયા પ્રોજેક્ટ આધારિત ટ્રેન મેરઠ-લખનઊ, મદુરાઈથી બેંગુલુરુ અને ચેન્નઈ-નાગરકોઈલ રુટમા દોડાવાશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘મેક ઇન ઇન્ડિયા’ અને આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરતાં, અત્યાધુનિક વંદે ભારત એક્સપ્રેસ ત્રણ રૂટ મેરઠ – લખનઊ, મદુરાઈ – બેંગલુરુ અને ચેન્નઈ – નાગરકોઈલ પર કનેક્ટિવિટીમાં સુધારો કરશે. નવી વંદે ભારત ટ્રેન મુસાફરોને વિશ્વ કક્ષાનો અનુભવ પ્રદાન કરવા, મુસાફરીનો સમય ઘટાડવા અને પ્રવાસનને પ્રોત્સાહન આપશે સાથે આ ટ્રેનો ઉત્તર પ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટક વચ્ચે કનેક્ટિવિટી વધારશે.

મેરઠ શહેર – લખનૌ વંદે ભારત મુસાફરોને બે શહેરો વચ્ચેની વર્તમાન સૌથી ઝડપી ટ્રેનની સરખામણીમાં લગભગ ૧ કલાકની બચત કરવામાં મદદ કરશે. તેવી જ રીતે, ચેન્નાઈ એગ્મોર – નાગરકોઈલ વંદે ભારત અને મદુરાઈ – બેંગલુરુ વંદે ભારત ટ્રેનો અનુક્રમે ૨ કલાકથી વધુ અને લગભગ ૧ કલાક ૩૦ મિનિટની બચત કરશે.

આ પણ વાંચો : વાપી નજીક વંદે ભારત ટ્રેનને નડયો અકસ્માત: બે પશુઓના મોત

આ નવી વંદે ભારત ટ્રેનો આ વિસ્તારના લોકોને ઝડપ અને આરામ સાથે મુસાફરી કરવા માટે વિશ્વસ્તરીય સુવિધા પ્રદાન કરશે અને તે ત્રણ રાજ્યો – ઉત્તર પ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટકને જોડશે.

આ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો નિયમિત પ્રવાસીઓ, વ્યાવસાયિકો, વેપારી અને વિદ્યાર્થી સમુદાયની જરૂરિયાતોને મોટા પ્રમાણમાં પૂરી કરવા માટે રેલ સેવાના એક નવા ધોરણની શરૂઆત કરશે, એમ રેલવેએ જણાવ્યું હતું

Show More

Related Articles

Back to top button
ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો… આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી બીજી સપ્ટેમ્બરના શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ… Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન…