ટોપ ન્યૂઝનેશનલ

પીએમ મોદીએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે પુલ ચેનાબનું ઉદ્ઘાટન કર્યું, પુલ પર તિરંગો લહેરાવ્યો

શ્રીનગર : પહલગામ આતંકવાદી હુમલા પછી આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પહેલી વાર જમ્મુ અને કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. પીએમ મોદીએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે પુલ ચેનાબનું ઉદ્ઘાટન કર્યું. પીએમ મોદીએ પુલના ઉદ્ઘાટન બાદ પુલ પર તિરંગો લહેરાવ્યો હતો. પીએમ મોદી ત્યારબાદ તે જ ટ્રેક પર બનેલા અંજી પુલનું પણ ઉદ્ઘાટન કરશે. 

પીએમ મોદીએ ચેનાબ પુલનું નિરીક્ષણ કર્યું

આ પૂર્વે  પીએમ મોદીએ ચેનાબ પુલનું નિરીક્ષણ કર્યું હતું. આપુલ નદીથી 359  મીટરની ઊંચાઈ પર સ્થિત ચેનાબ રેલ પુલ વિશ્વનો સૌથી ઊંચો રેલ્વે કમાન પુલ છે. તે 1315 મીટર લાંબો સ્ટીલ કમાન પુલ છે. પીએમ મોદીએ જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સાથે પણ વાત કરી હતી. આ દરમિયાન રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ હાજર હતા.
તેઓ બે વંદે ભારત ટ્રેનો ને લીલી ઝંડી આપશે.

કટરા ખાતે રૂ. 46,000 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે

વડા પ્રધાન  તેની બાદ  તેઓ બે વંદે ભારત ટ્રેનો ને લીલી ઝંડી આપશે. મોદી ત્રિકુટા ટેકરીઓ પર સ્થિત વૈષ્ણો દેવી મંદિરની મુલાકાત લેતા યાત્રાળુઓ માટેનો આધાર શિલાન્યાસ કટરા ખાતે રૂ. 46,000 કરોડથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ પણ કરશે.

કાશ્મીરને દેશના બાકીના ભાગ સાથે રેલ દ્વારા જોડાણ

કાશ્મીરને દેશના બાકીના ભાગ સાથે રેલ દ્વારા જોડવાના પ્રોજેક્ટ પર કામ 1997 માં શરૂ થયું હતું. જોકે, ભૂસ્તરશાસ્ત્રીય અને હવામાનશાસ્ત્રીય પડકારોને કારણે, પ્રોજેક્ટ પૂર્ણ કરવાની સમયમર્યાદા ઘણી વખત લંબાવવામાં આવી હતી, જેના કારણે તેનો ખર્ચ વધી ગયો હતો અને તે રૂ. 41,000 કરોડથી વધુમાં પૂર્ણ થયો હતો.

 17  કિલોમીટરનો સેક્શન આખરે ગયા વર્ષે ડિસેમ્બરમાં પૂર્ણ થયો હતો.

કુલ 272 કિમી લાંબા USBRL પ્રોજેક્ટમાંથી 209 કિમી પર કામ વિવિધ તબક્કામાં પૂર્ણ થયું હતું. 118  કિલોમીટર લાંબા કાઝીગુંડ-બારામુલ્લા સેક્શનનો પ્રથમ તબક્કો ઓક્ટોબર વર્ષ 2009માં પૂર્ણ થયો હતો. ત્યારબાદ, 18  કિલોમીટર લાંબો બનિહાલ-કાઝીગુંડ સેક્શન જૂન 2013માં  25  કિલોમીટર લાંબો ઉધમપુર-કટરા સેક્શન જુલાઈ  2014 માં અને 48. 1 કિલોમીટર લાંબો બનિહાલ-સાંગલદાન સેક્શન ગયા વર્ષે ફેબ્રુઆરીમાં પૂર્ણ થયો હતો.46  કિલોમીટર લાંબો સાંગલદાન-રિયાસી સેક્શન પણ ગયા વર્ષે જૂનમાં પૂર્ણ થયો હતો, જ્યારે રિયાસી અને કટરા વચ્ચેનો બાકીનો 17  કિલોમીટરનો સેક્શન આખરે ગયા વર્ષે ડિસેમ્બરમાં પૂર્ણ થયો હતો.

પ્રધાનમંત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગ-701  પર રફિયાબાદથી કુપવાડા સુધીના માર્ગ પહોળા કરવાના પ્રોજેક્ટ અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ-444  પર શોપિયન બાયપાસ રોડના નિર્માણનો શિલાન્યાસ કરશે. જેનો ખર્ચ રૂ. 1952 કરોડથી વધુ થશે.

આ પણ વાંચો….પીએમ મોદી આજે કરશે વિશ્વના સૌથી ઊંચા ચેનાબ રેલ્વે પુલનું ઉદ્ઘાટન, અશ્વિની વૈષ્ણવે શેર કર્યો વિડીયો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button