ટોપ ન્યૂઝનેશનલ

‘આ કાનૂની નિર્ણય નથી પરંતુ આશાનું કિરણ છે’

PM મોદીએ કલમ 370ના નિર્ણય પર કહી દીધી મોટી વાત

નવી દિલ્હીઃ બંધારણની કલમ 370 હવે ઇતિહાસ બની ગઇ છે. સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયને યથાવત રાખ્યો છે. પીએમ મોદીએ કલમ 370 પર સુપ્રીમ કોર્ટના નિર્ણય પર ખુશી વ્યક્ત કરી છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું છે કે, કલમ 370 હટાવવા પર સુપ્રીમ કોર્ટનો આજનો નિર્ણય ઐતિહાસિક છે. આજના નિર્ણયમાં 5 ઓગસ્ટ 2019 ના રોજ ભારતીય સંસદ દ્વારા લેવામાં આવેલા નિર્ણયની બંધારણીયતાનું સમર્થન કરવામાં આવ્યું છે.

સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય જમ્મુ અને કાશ્મીર, લદ્દાખના આપણા ભાઈ-બહેનોની આશા, વિકાસ અને એકતાનો પડઘો છે. અદાલતે આપણી એકતાના મૂળના સારને મજબૂત બનાવ્યો છે.

PM મોદીએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, ‘હું જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના લોકોને ખાતરી કરવા માંગુ છું કે અમે તમારા સપના પૂરા કરવાના અમારા વચનનું પાલન કરીશું. જે લોકોને કલમ 370ને કારણે ઘણું સહન કરવાનો વારો આવ્યો છે, એવા લોકો અને સમાજના દરેક પછાત વર્ગ સુધી પ્રગતિ પહોંચે અને તેમને પણ વિકાસના ફળ ચાખવા મળે- અમે એ સુનિશ્ચિત કરવા માટે સમર્પિત છીએ. સુપ્રીમ કોર્ટનો આજનો નિર્ણય આજનો નિર્ણય માત્ર નૂની નિર્ણય નથી પરંતુ તે આશાનું કિરણ છે. આ એક ઉજ્જવળ ભવિષ્યનું વચન છે અને મજબૂત અને અખંડ ભારત બનાવવાના અમારા સંયુક્ત પ્રયાસોનો પુરાવો છે.

ગૃહ પ્રધાન અમિત શાહે પણ સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કરતા ટ્વીટ કર્યું હતું કે, ‘હું કલમ 370 હટાવવાના નિર્ણયને યથાવત રાખવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કરું છું. 5 ઓગસ્ટ, 2019 ના રોજ પીએમ મોદીએ દૂરંદેશી નિર્ણય લીધો અને કલમ 370 હટાવવાનો નિર્ણય કર્યો. ત્યારથી જમ્મુ-કાશ્મીરમાં શાંતિ પાછી આવી છે. એક સમયે હિંસા દ્વારા તબાહ થયેલા જમ્મુ કાશ્મીરમાં શાંતિ અને ખુશહાલી આવી છે.

લોકોને પ્રગતિ અને વિકાસ જોવા મળી રહ્યો છે. પર્યટનથી સમૃદ્ધિ અને કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના લોકોની આવકમાં વધારો થયો છે. આજે સુપ્રીમ કોર્ટના નિર્ણયથી સાબિત થઈ ગયું છે કે કલમ 370 હટાવવાનો નિર્ણય સંપૂર્ણપણે બંધારણીય હતો.

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના કેન્દ્ર સરકારના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં 23 અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીઓની સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે સોમવારે એટલે કે 11 ડિસેમ્બરે પોતાનો ચુકાદો આપ્યો હતો. આ નિર્ણયમાં સુપ્રીમ કોર્ટના પાંચ જજોની બંધારણીય બેન્ચે કલમ 370 હટાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયને બંધારણીય રીતે માન્ય ગણાવ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું છે કે જમ્મુ કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને તેનું કોઇ આંતરિક સાર્વભૌમત્વ નથી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત