OM Birla ને પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા, રાહુલ ગાંધીએ બંધારણ યાદ અપાવી કહી આ વાત

નવી દિલ્હી : ઓમ બિરલા(OM Birla)ફરી એકવાર લોકસભાના સ્પીકર બન્યા છે. તેઓ ધ્વનિ મતથી સ્પીકર તરીકે ચૂંટાયા હતા અને વિપક્ષના ઉમેદવાર કે. સુરેશનો પરાજય થયો હતો. જીત બાદ ઓમ બિરલાને અધ્યક્ષની ખુરશી પર બેસાડવામાં આવ્યા. પીએમ નરેન્દ્ર મોદીએ તેમનું સ્વાગત કર્યું અને કહ્યું કે તમારી સ્મિત દિલાસો આપે છે.17મી લોકસભામાં લીધેલા નિર્ણયોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે તમારો છેલ્લો કાર્યકાળ સુવર્ણ હતો અને અમને આશા છે કે આ વખતે પણ તમે એ જ રીતે નેતૃત્વ કરતા રહેશો.
સ્પીકર ઓમ બિરલાને રાહુલ ગાંધીએ બંધારણ યાદ કરાવ્યું
જ્યારે વિપક્ષના નેતા રાહુલ ગાંધી સ્પીકર ઓમ બિરલાને અભિનંદન આપ્યા અને સંસદની કાર્યવાહી ચલાવવામાં સહયોગનું વચન પણ આપ્યું હતું. તેમણે સ્પીકર ઓમ બિરલાને બંધારણ યાદ કરાવ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું, ‘સરકાર પાસે રાજકીય શક્તિ છે, પરંતુ વિપક્ષ પાસે પણ ભારતનો અવાજ છે. ગત ચૂંટણી કરતા આ વખતે વિપક્ષની તાકાત વધુ મજબૂત છે. વિપક્ષ ઈચ્છે છે કે અમે તમને ગૃહ ચલાવવામાં સહયોગ કરીએ.
બંધારણનું રક્ષણ કરવામાં આવશે
રાહુલ ગાંધીએ કહ્યું કે ગૃહ કેવી રીતે ચાલે છે તે મહત્વનું નથી. દેશનો અવાજ કેવી રીતે ઉઠાવવામાં આવે છે તે મહત્વનું છે. આ ચૂંટણીએ બતાવ્યું છે કે ભારતના લોકો બંધારણની રક્ષા કરવા માંગે છે. અમને ખાતરી છે કે વિપક્ષને તમારા વતી બોલવાની તક આપીને બંધારણનું રક્ષણ કરવામાં આવશે.
દરેકને બોલવાની સમાન તક મળવી જોઈએ : અખિલેશ યાદવ
રાહુલ ગાંધી પછી અખિલેશ યાદવ બોલ્યા હતા. તેમણે કહ્યું કે તમારું નિયંત્રણ સત્તાધારી પક્ષ પર પણ હોવું જોઈએ. દરેકને બોલવાની સમાન તક મળવી જોઈએ. અખિલેશ યાદવે કટાક્ષ કરતા કહ્યું કે આ નવું ગૃહ છે અને અમને આશા હતી કે તમારી ખુરશી ઘણી ઊંચી હશે, પરંતુ એવું નથી. અમે તમને ખાતરી આપીએ છીએ કે અમે ગૃહને ચલાવવામાં સંપૂર્ણ સહકાર આપીશું. લોકસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીને 37 સીટો મળી છે. તે ભાજપ અને કોંગ્રેસ પછી લોકસભામાં દેશની ત્રીજી સૌથી મોટી પાર્ટી છે.
Also Read –