રામ મંદિરના નિર્માણમાં મણિ પર્વતની કથા કોતરવા માટે સ્તંભ રાજસ્થાનથી અયોધ્યા લાવવામાં આવ્યા…

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનું કામ તેજ ગતિએ ચાલી રહ્યું છે. જ્યારે મણિ પર્વત પર સ્થાપિત થનાર પ્રથમ શ્રી રામ સ્તંભને રાજસ્થાનથી અયોધ્યા લાવવામાં આવ્યો ત્યારે કારસેવકપુરમમાં પૂજા કરવામાં આવી હતી. મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના જીવન અને મહત્વ સાથે સંબંધિત 290 સ્થળોએ સ્તંભો સ્થાપિત કરવામાં આવનાર છે. શ્રી રામ સ્તંભની સ્થાપનાનો ખર્ચ અશોક સિંઘલ ફાઉન્ડેશન ઉઠાવશે.
શ્રી રામ સ્તંભ પર વાલ્મીકિ રામાયણના શ્ર્લોક અને અર્થ લખવામાં આવશે. મર્યાદા પુરુષોત્તમ શ્રી રામની કથા સ્તંભ પર લખીને ભાવિકો સુધી પહોંચાડવામાં આવશે. રાજસ્થાનના સેન્ડસ્ટોનથી બનેલા શ્રી રામ સ્તંભ પર વાલ્મીકિ રામાયણના શ્ર્લોક અને અર્થો વિશેની માહિતી કોતરવામાં આવશે.
કહેવાય છે કે વનમાં જતી વખતે શ્રી રામ દશરથના મહેલમાંથી બહાર નીકળ્યા બાદ સૌ પ્રથમ મણિ પર્વત પર રોકાયા હતા. એટલા માટે મણિ પર્વતથી શ્રી રામ સ્તંભ સ્થાપિત કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી રહી છે. રામાવતાર શર્માએ તેમના સંશોધન દરમિયાન લગભગ 10 વખત આ સ્થળની મુલાકાત લીધી હતી. શ્રી રામ સ્તંભની સ્થાપના અયોધ્યામાં મણિ પર્વતથી શરૂ થશે. આ સ્થંભ રેતીના પથ્થરનો બનેલો હશે. જે અંદાજે 1000 વર્ષ જૂના છે. આ સ્તંભ પર હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત અને સ્થાનિક ભાષા એમ ચાર ભાષામાં કોતરણી કરવામાં આવશે.
આ કોતરણી વાંચવા માટે ત્યાં કાચ પણ લગાવવામાં આવશે. શ્રી રામ સ્તંભોની ગણતરી આવકવેરા વિભાગમાંથી નિવૃત્ત રામાવતાર શર્માના સંશોધન પર આધારિત છે. તેમણે 40 વર્ષ સુધી અયોધ્યાથી રામેશ્વરમ સુધી વિવિધ રીતે આ તમામ બાબતોનું સંશોધન કર્યું હતું.