નેશનલ

ભાજપ દ્વારા સિંદૂર વિતરણના વાયરલ દાવાની PIB ફેક્ટ ચેક દ્વારા સ્પષ્ટતા

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર અવાર નવાર કેટલાક મેસેજ વાયરલ થતાં હોય છે, જેમાં ઘણા ભ્રામક હોય છે. હાલ આવું જ એક અખબારનું ક્લિપિંગ વાઇરલ થયું છે, જેમાં મોદી 3.0ની વર્ષગાંઠ પર ઘરે ઘરે સિંદૂર વિતરણ કરવામાં આવશે તેવો દાવો કરવામાં આવ્યો છે.

શું છે વાયરલ મેસેજ

સોશિયલ મીડિયામાં વાયરલ મેસેજ મુજબ, મોદી 3.0ની વર્ષગાંઠ પર દેશભરમાં અભિયાન ચલાવવામાં આવશે. 9 જૂનથી એક મહિના સુધી ચાલનારા અભિયાનમાં ભાજપ નેતા દેશભરમાં ઘરે ઘરે જઈને મહિલાઓને સિંદૂરની ભેટ આપશે.

પીઆઈબી ફેક્ટ ચેકે શું કહ્યું

પીઆઈબી ફેક્ટ ચેકે એક્સ પર વાયરલ ખબરનો સ્ક્રીનશોટ શેર કરીને લખ્યું, કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટ અને મીડિયા રિપોર્ટ મોદી 3.0ની વર્ષગાંઠ મનાવવાના અનેક પ્રકારના દાવા કરી રહ્યા છે. આ દાવામાં કોઈ તથ્ય નથી. આ પ્રકારના ભ્રમિત કરતા દાવા પર વિશ્વાસ ન કરો.

પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ શંકાસ્પદ સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો અથવા pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.

આપણ વાંચો:  હાફિઝ સઈદ પહલગામ હુમલાના માસ્ટરમાઈન્ડ સાથે દેખાયો, પાક. સરકારનો આતંકીઓને ખુલ્લો ટેકો!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button