ટોપ ન્યૂઝનેશનલ

પાકિસ્તાને સતત 10માં દિવસે કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

શ્રીનગર: પહેલગામમાં થયેલા હુમલા બાદ પણ પાકિસ્તાન પોતાની નાપાક હરકતોમાંથી બાઝ નથી આવી રહ્યું. પડોશી દેશ દ્વારા સતત 10મા દિવસે સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું. ગત રાત્રે, પાકિસ્તાની સેનાએ ફરી એકવાર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું અને જમ્મુ અને કાશ્મીરના અનેક વિસ્તારોમાં નિયંત્રણ રેખા (LoC) પર ગોળીબાર કર્યો હતો.

પહેલગામ આતંકવાદી હુમલા બાદથી, ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો વધુ ખરાબ થઈ રહ્યા છે. તેની અસર સરહદ પર પણ જોવા મળી રહી છે. પહેલગામ હુમલા અંગે ભારતની કાર્યવાહીથી ફફડી ગયેલું પાકિસ્તાન હજુ પણ સરહદ પરની પોતાની નાપાક હરકતો બંધ કરવાનું નામ નથી લઈ રહ્યું. સતત 10મા દિવસે સરહદ પર સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. મળતી વિગતો અનુસાર પાકિસ્તાની સેનાએ જમ્મુના પૂંછ, રાજૌરી, મેંધાર, નૌશેરા, સુંદરબની અખનૂરથી લઈને કાશ્મીરના કુપવાડા, બારામુલ્લા સુધી નિયંત્રણ રેખા પર ગોળીબાર કર્યો હતો. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા આ ગોળીબારનો ભારતે પણ આકરો જવાબ આપ્યો હતો.

પાકિસ્તાન દ્વારા LoC પર સીઝ ફાયરના આ ઉલ્લંઘનનો ભારતે પણ યોગ્ય જવાબ આપ્યો હતો. ભારતીય સેનાએ આ ઉશ્કેરણીજનક કાર્યવાહીનો તાત્કાલિક અને અસરકારક રીતે જવાબ આપ્યો હતો. સેનાના સૂત્રોના જણાવ્યા અનુસાર, જવાબી કાર્યવાહીમાં કોઈ બિનજરૂરી આક્રમણ નહોતું, પરંતુ પાકિસ્તાનના ગોળીબારનો “ચોક્કસ અને મજબૂત” જવાબ આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો….ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે ભારતીય વાયુસેનાનું ગંગા એક્સપ્રેસ વે પર રિહર્સલ, રાફેલ, સુખોઇએ રાત્રિ ઉતરાણ કર્યું

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button