નેશનલ

કોલકાતામાં એક લાખ લોકો આજે સામૂહિક રીતે ગીતા પાઠ કરશે, વડા પ્રધાને પાઠવ્યો ખાસ સંદેશ….

કોલકાતા: આજે કોલકાતાના પરેડ ગ્રાઉન્ડમાં એક લાખ લોકો સામૂહિક રીતે ગીતા પાઠ કરશે. આ ગીતા પઠન કાર્યક્રમનું આયોજન અખિલ ભારતીય સંસ્કૃત પરિષદ અને મતિલાલ ભારત તીર્થ સેવા મિશન દ્વારા કરવામાં આવી રહ્યું છે. અગાઉ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ આ કાર્યક્રમમાં ભાગ લેવાના હતા પરંતુ હવે વડા પ્રધાન આ કાર્યક્રમમાં ભાગ લઈ શકે તેમ નથી આથી તેમણે એક વિશેષ સંદેશ આપીને આ કાર્યક્રમની પ્રશંસા કરી હતી.

વડા પ્રધાન મોદીએ તેમના સંદેશમાં લખ્યું હતું કે કોલકાતાના પરેડ ગ્રાઉન્ડ પર આયોજિત ‘લોક કંઠ ગીતા પાઠ’નો કાર્યક્રમ ખૂબ જ પ્રશંસનીય છે. આપણો સાંસ્કૃતિક વારસો પરંપરાઓ, જ્ઞાન, તત્વજ્ઞાન-આધ્યાત્મિક બુદ્ધિ, સાંસ્કૃતિક વિવિધતા અને સંવાદિતાનું મિશ્રણ છે. શ્રીમદ ભાગવત ગીતા મહાભારતકાળથી લઈને આઝાદી સુધી અને અત્યારે પણ આપણને બધાને પ્રેરણા આપે છે. આ ઉપરાંત વડા પ્રધાને એમ પણ લખ્યું હતું કે ગીતા આપણને અર્થપૂર્ણ જીવન જીવવાની દિશા બતાવે છે અને જીવનના પડકારોનો સામનો કરવાનું શીખવે છે.

કોલકાતામાં યોજાનાર આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે વિશ્વભરમાંથી 300થી વધુ સંતો કોલકાતા પહોંચ્યા હતા. કાર્યક્રમમાં ભાગ લેનારા લોકોએ ઓનલાઈન અને ઓફલાઈન અરજીઓ કરી હતી. કાર્યક્રમના આયોજકોમાંના એક સ્વામી નિર્ગુણાનંદે જણાવ્યું હતું કે દરેક 5 હજાર લોકોના 20 બ્લોક બનાવવામાં આવ્યા છે. આ કાર્યક્રમ દ્વારા ગીનીઝ રેકોર્ડ બને તેવી શક્યતાઓ છે. ઈવેન્ટના આયોજકોએ જુલાઈમાં જ તેનું આયોજન કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી હતી.

આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે બંગાળના સીએમ મમતા બેનરજી, રાજ્યપાલ સીવી આનંદ બોઝ, કલકત્તા હાઈ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ, સાંસદો અને ધારાસભ્યોને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…