વન અર્થ, વન ફેમિલી અને વન ફ્યૂચર'ના પડઘા અસરકારક રીતે પડ્યા: ગીતા ગોપીનાથ | મુંબઈ સમાચાર

વન અર્થ, વન ફેમિલી અને વન ફ્યૂચર’ના પડઘા અસરકારક રીતે પડ્યા: ગીતા ગોપીનાથ

IMFની પ્રથમ ડેપ્યુટી મેનેજિંગ ડાયરેક્ટર ગીતા ગોપીનાથે પીએમ મોદીના વખાણ કરતા કહ્યું હતું કે ભારતના ‘વન અર્થ, વન ફેમિલી અને વન ફ્યૂચર’ના સંદેશના પડઘા G-20ના તમામ દેશોના પ્રતિનિધિઓ વચ્ચે અસરકારક રીતે પડ્યા. આના પર પીએમ મોદીએ જવાબ આપતા કહ્યું કે આટલા ઉદાર શબ્દો માટે તમારો આભાર. G-20 શિખર સંમેલનની યજમાની કરવી એ સન્માનની વાત છે. અમારા પ્રયાસો સામૂહિક એકતા અને પ્રગતિની ભાવનાનું પ્રમાણ છે.

IMFના ગીતા ગોપીનાથ ભારતીય મૂળના છે. તેમણે શનિવારે સોશિયલ મીડિયા સાઇટ X પરની પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે G-20 શિખર સંમેલનની સફળ યજમાની બદલ ભારતના વડા પ્રધાનને અભિનંદન. જેના જવાબમાં પીએમ મોદીએ તેમનો આભાર માન્યો હતો.


વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે વન ફ્યૂચર વિષય પર ચર્ચા બાદ G-20 શિખર સંમેલનના સમાપનની જાહેરાત કરી હતી. આ દરમિયાન પીએમ એ કહ્યું, “તમને સૌને ખ્યાલ છે એ મુજબ ભારત પાસે નવેમ્બર સુધી G-20ની અધ્યક્ષતાની જવાબદારી છે. હજુ અઢી મહિના બાકી છે. આ 2 દિવસોમાં તમે સૌએ અનેક બાબતો રજૂ કરી છે. સૂચનો આપ્યા છે. અમારી જવાબદારી છે કે અમે કઇ રીતે આ સૂચનો પર અમલ કરવો તે જોઇએ.. મારો પ્રસ્તાવ છે કે નવેમ્બરના અંતમાં G-20નું એક વર્ચ્યુઅલ સેશન યોજાય જેમાં આપણે આપણા વિષયોની સમીક્ષા કરી શકીએ. મારી ટીમ તમને આની માહિતી મોકલાવશે. હું આશા રાખું છું કે તમામ દેશો આમાં જોડાશે.”

સંબંધિત લેખો

Back to top button