ટોપ ન્યૂઝનેશનલ

Odisha માં ભારે વરસાદ અને ભૂસ્ખલનને લીધે તબાહી, 18 ગામો સંપર્ક વિહોણા

મલકાનગિરી : દેશમાં ચોમાસાની શરૂઆત સાથે જ અનેક રાજ્યોમાં ભારે વરસાદને કારણે સ્થિતિ ગંભીર બની ગઈ છે. જેમાં મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજધાની દિલ્હીની હાલત ખરાબ છે. આ રાજ્યોના અનેક શહેરોમાં વરસાદી પાણીએ તબાહી મચાવી છે. ત્યારે ઓડિશામાં(Odisha)પણ ભારે વરસાદે તબાહી મચાવી છે. ઓડિશામાં મુશળધાર વરસાદને પગલે મોટા પાયે ભૂસ્ખલનને થતા રાજ્યના મલકાનગિરી જિલ્લાના 18 ગામો રાજ્યના અન્ય ભાગો સંપર્ક વિહોણા થયા છે.

વાહનોની અવરજવર પર અસર પડી હતી

જેમાં મલકાનગિરી જિલ્લાના કોરુકોંડા બ્લોક હેઠળના નાકામમુડી ગ્રામ પંચાયતના બાયપાદર ઘાટ રોડ પર તુમ્બા પાદર ગામ પાસે શનિવારે બપોરે ભૂસ્ખલન થયું હતું. ભારે વરસાદ વચ્ચે, માલકાનગીરી અને કોરાપુટના લામાતાપુટ અને નંદાપુર વિસ્તારોમાં ભૂસ્ખલનની જાણ થઈ હતી, જેના કારણે વાહનોની અવરજવર પર અસર પડી હતી.

સ્પેશિયલ રિલીફ કમિશનર (SRC)ના કાર્યાલયે મલકાનગિરીમાં ભૂસ્ખલનની પુષ્ટિ કરી છે. સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે SRC સત્યબ્રત સાહુએ મલકાનગિરીના જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે ચર્ચા કરી છે અને રસ્તો ખોલવાનું કામ ચાલી રહ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ટૂંક સમયમાં જ વાહનવ્યવહાર પુનઃસ્થાપિત કરવામાં આવશે.

ભારે વરસાદ ચાલુ રહી શકે છે

દરમિયાન, ભારતીય હવામાન વિભાગે એક બુલેટિનમાં જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળ અને તેને અડીને આવેલા ઉત્તર ઓડિશામાં ગંગાના મેદાનો પર ઓછા દબાણના વિસ્તારના પ્રભાવ હેઠળ, ઓડિશામાં 31 જુલાઈ સુધી ભારે વરસાદ ચાલુ રહી શકે છે. હવામાન કચેરીએ જણાવ્યું હતું કે રવિવાર સવાર સુધીમાં મલકાનગીરી, કોરાપુટ, નબરંગપુર, બોલાંગીર, નુઆપાડા, સોનપુર, ઝારસુગુડા, સુંદરગઢ, સંબલપુર, કેઓંઝાર, અંગુલ, દેવગઢ અને કાલાહાંડી જિલ્લામાં એક કે બે સ્થળોએ 7 થી 11 સેમી સુધી ભારે વરસાદ ખાબકી શકે છે.

આ વિસ્તારોમાં વરસાદની ચેતવણી

IMDએ રવિવારે બંગાળની ખાડીમાં 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની ચેતવણી પણ આપી છે. માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે કારણ કે તે ખરબચડી હોવાની શક્યતા છે. હવામાન વિભાગે 28 જુલાઈએ બારગઢ, ઝારસુગુડા, સુંદરગઢ, નુઆપાડા અને નબરંગપુરમાં ભારે વરસાદની આગાહી કરી છે.

બે સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપી

IMDએ કહ્યું કે તેણે આગામી 24 કલાક 29 જુલાઇના રોજ કેઓંઝાર, મયુરભંજ અને બાલાસોરમાં એક કે બે સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપી છે. 31 જુલાઈએ કેઓંઝાર, મયુરભંજ, બાલાસોર, ભદ્રક અને જાજપુર જિલ્લામાં એક-બે સ્થળોએ ભારે વરસાદની પણ શક્યતા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ