હવે ટુ વ્હિલર પર પણ ટોલ ટેક્સ ભરવો પડશે? જાણો નીતિન ગડકરીએ શું કહ્યું

નવી દિલ્હી: રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અત્યાર સુધી કોઈ પણ ટુ વ્હીલર પર ટેક્સ વસૂલવામાં આવતો ન હતો. જ્યારે હવે આ નિર્ણયમાં મોટ ફેરફાર થવા જઈ રહ્યા છે. સરકાર ટુ વ્હીલર ચાલકો માટે નવા નિયમો લાવી રહી છે. આ નિર્ણય આગામી 15 જુલાઈથી લાગુ થવા જઈ રહ્યો છે. એટલે કે, હવેથી ટુ વ્હીલર ચાલકને પણ ફરજિયાત પણે ટોલ ટેક્સ ચુકવવો પડશે. આ નિર્ણયથી દેશભરના લાખો બાઈક ચાલકો પર અસર પડશે, તેવા અહેવાલો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા ત્યારે કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે આ પ્રકારનો કોઈ નિર્ણય લેવાયો નથી અને અહેવાલો એકદમ ખોટા છે. આવો કોઈ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો નથી.

અમુક કલાકો પહેલા અહેવાલો પ્રસારિત થયા હતા કેસરકારના આ નવા નિર્ણયથી ટુ વ્હિલર વાહનો પણ ટોલ ટેક્સના દાયરામાં આવી ગયા છે. આ નિર્ણયનો હેતુ રાષ્ટ્રીય ધોરીમાર્ગોની જાળવણી અને વિકાસ માટે નાણાં એકત્ર કરવાનો છે. FASTagનો ઉપયોગ ટોલ ચૂકવણીને વધુ પારદર્શક અને કાર્યક્ષમ બનાવશે, પરંતુ બાઈક ચાલકો માટે આ નવી આર્થિક જવાબદારી બનશે.
આ નિયમથી ટુ વ્હિલર વાહન ચાલકોને તેમના ખર્ચમાં વધારો થશે, ખાસ કરીને નિયમિત રીતે રાષ્ટ્રીય ધોરીમાર્ગનો ઉપયોગ કરનારાઓ માટે. આ નિયમનું પાલન ન કરનારાઓ માટે દંડની રકમ પણ ચિંતાનો વિષય બની શકે છે.
જોકે હવે ખુદ કેન્દ્રીય પ્રધાને સ્પષ્ટતા કરી દેતા આ વિષયને રદિયો મળી ગયો છે.