નેશનલ

હવે ટુ વ્હિલર પર પણ ટોલ ટેક્સ ભરવો પડશે? જાણો નીતિન ગડકરીએ શું કહ્યું

નવી દિલ્હી: રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અત્યાર સુધી કોઈ પણ ટુ વ્હીલર પર ટેક્સ વસૂલવામાં આવતો ન હતો. જ્યારે હવે આ નિર્ણયમાં મોટ ફેરફાર થવા જઈ રહ્યા છે. સરકાર ટુ વ્હીલર ચાલકો માટે નવા નિયમો લાવી રહી છે. આ નિર્ણય આગામી 15 જુલાઈથી લાગુ થવા જઈ રહ્યો છે. એટલે કે, હવેથી ટુ વ્હીલર ચાલકને પણ ફરજિયાત પણે ટોલ ટેક્સ ચુકવવો પડશે. આ નિર્ણયથી દેશભરના લાખો બાઈક ચાલકો પર અસર પડશે, તેવા અહેવાલો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા ત્યારે કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે આ પ્રકારનો કોઈ નિર્ણય લેવાયો નથી અને અહેવાલો એકદમ ખોટા છે. આવો કોઈ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો નથી.

અમુક કલાકો પહેલા અહેવાલો પ્રસારિત થયા હતા કેસરકારના આ નવા નિર્ણયથી ટુ વ્હિલર વાહનો પણ ટોલ ટેક્સના દાયરામાં આવી ગયા છે. આ નિર્ણયનો હેતુ રાષ્ટ્રીય ધોરીમાર્ગોની જાળવણી અને વિકાસ માટે નાણાં એકત્ર કરવાનો છે. FASTagનો ઉપયોગ ટોલ ચૂકવણીને વધુ પારદર્શક અને કાર્યક્ષમ બનાવશે, પરંતુ બાઈક ચાલકો માટે આ નવી આર્થિક જવાબદારી બનશે.

આ નિયમથી ટુ વ્હિલર વાહન ચાલકોને તેમના ખર્ચમાં વધારો થશે, ખાસ કરીને નિયમિત રીતે રાષ્ટ્રીય ધોરીમાર્ગનો ઉપયોગ કરનારાઓ માટે. આ નિયમનું પાલન ન કરનારાઓ માટે દંડની રકમ પણ ચિંતાનો વિષય બની શકે છે.
જોકે હવે ખુદ કેન્દ્રીય પ્રધાને સ્પષ્ટતા કરી દેતા આ વિષયને રદિયો મળી ગયો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button