નેશનલ

તહેવારોની ભીડ ઘટાડવા રેલવેની ખાસ પહેલ

34 વિશેષ ટ્રેનો દોડાવવાની જાહેરાત

તહેવારોની મોસમમાં ઘરે જતા લોકોના ધસારાને ધ્યાનમાં રાખીને ઉત્તર રેલવેએ બુધવારથી 34 વિશેષ ટ્રેનો દોડાવવાની શરૂઆત કરી છે. આ સ્પેશિયલ ટ્રેન 18 ઓક્ટોબરથી 11 ડિસેમ્બર વચ્ચે 377 ટ્રીપ કરશે. તેમાંથી 351 ટ્રીપ્સ દેશના પૂર્વીય ભાગ તરફ અને 26 ટ્રીપો ઉત્તરીય ક્ષેત્ર તરફ હશે.

આ 34 ટ્રેનો ઉપરાંત, હાલની 69 ટ્રેનોમાં વધારાના કોચ ઉમેરવામાં આવશે. આમ એકંદરે તહેવારોની મોસમ દરમિયાન મુસાફરોની અવરજવરમાં વધારાને ધ્યાનમાં રાખીને લોકો માટે 5.5 લાખ વધારાની બેઠકો ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

આ વિશેષ ટ્રેનો દિલ્હી, નવી દિલ્હી, આનંદ વિહાર, પટના, છપરા, જોગબાની, સહરસા. , જયનગર, કટિહાર, ગુવાહાટી, દરભંગા, ગોરખપુર, વારાણસી, બરૌની, રક્સૌલ, મુઝફ્ફરપુર, ગયા, લખનૌ, કોલકાતા, શ્રી માતા વૈષ્ણો દેવી કટરા, અમૃતસર, સહારનપુર અને અંબાલા જેવા દેશભરના મુખ્ય સ્થળો માટે દોડશે. આ વિશેષ ટ્રેનની વિગતો રેલવેના સોશિયલ મીડિયા હેન્ડલ્સ અને પૂછપરછ કાઉન્ટર પરથી મળશે.


તહેવારોની મોસમ દરમિયાન વધેલી માંગને પહોંચી વળવા માટે વધારાની ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે, એમ જણાવતા ઉત્તર રેલવેના જનરલ મેનેજરે જણાવ્યું હતું કે, સ્પેશિયલ ટ્રેનો ચલાવવા ઉપરાંત, બુકિંગ કાઉન્ટર પર લાંબી કતારો ટાળવા માટે વિશેષ ટિકિટ વિન્ડો ખોલવાનો અને હાલની તમામ વિન્ડોને કાર્યરત કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.


ઉત્તર રેલવેએ તહેવારોની સિઝનમાં મુસાફરી કરતા લોકોને સલાહ આપી હતી કે તેઓ ભીડ અને નાસભાગ જેવી ઘટનાઓને ટાળવા માટે તેમની ટ્રેનના પ્રસ્થાનના 15 થી 20 મિનિટ પહેલા સ્ટેશનો પર પહોંચે. સ્ટેશન પર લોકોને રાહ જોવા માટે વિશેષ પ્રતિક્ષાલયોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સ્ટેશનો પર ભીડને નિયંત્રિત કરવા અને મુસાફરોને માર્ગદર્શન આપવા માટે મોટી સંખ્યામાં સુરક્ષા કર્મચારીઓને પણ તૈનાત કરવામાં આવ્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને?