નેશનલ

નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ દુર્ઘટના: મૃતકોના પરિવારજનોને 14 લાખ રૂપિયા આપવામાં આવશે, દુર્ઘટના બાદ ઘણી ટ્રેનો રદ્દ

બિહારના બક્સરમાં ગઈ કાલે બુધવારે રાત્રે ટ્રેન અકસ્માત થયો હતો. બક્સરના રઘુનાથપુરમાં નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ (ટ્રેન નંબર 12506)ના 21 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માતમાં ચાર લોકોના મોતની પુષ્ટિ થઈ છે. જયારે 30થી વધુ મુસાફરો ઘાયલ થયા છે.

દિલ્હીના આનંદ વિહાર સ્ટેશનથી આસામના કામાખ્યા જઈ રહી હતી ત્યારે બક્સર જિલ્લાના રઘુનાથપુર સ્ટેશન નજીક રાત્રે લગભગ 9.35 વાગ્યે 21 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. પૂર્વ મધ્ય રેલવે દ્વારા એક પ્રેસ રિલીઝ જાહેર કરવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે મૃતકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે જ્યારે ઘાયલોને 50-50 હજાર રૂપિયા આપવામાં આવશે.

બિહારના મુખ્ય પ્રધાનના કાર્યાલયે જણાવ્યું હતું કે બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારોને 4 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા રકમની જાહેરાત કરી હતી.

નોર્થ ઇસ્ટ એક્સપ્રેસના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા બાદ, ભારતીય રેલ્વેએ 10 ટ્રેનો રદ કરી અને 21 ટ્રેનો ડાયવર્ટ કરી.
ઈસ્ટ સેન્ટ્રલ રેલ્વે ઝોન દ્વારા જાહેર કરાયેલા નિવેદન મુજબ, જે ટ્રેનો રદ કરવામાં આવી છે તેમાં પટના-પુરી સ્પેશિયલ (03230), સાસારામ-આરા સ્પેશિયલ (03620), ભભુઆ રોડ એક્સપ્રેસ સ્પેશિયલ (03617), પટના-ડીડીયુ મેમુ પાસ. સ્પેશિયલનો સમાવેશ થાય છે. (03203), પટના-બક્સર મેમુ પાસ સ્પેશિયલ (03375)નો સમાવેશ થાય છે.

જાણકારી અનુસાર, આ સિવાય બે ટ્રેનો આંશિક રીતે રદ કરવામાં આવી છે જે પટના-DDU એક્સપ્રેસ (13209) અને DDU-પટના એક્સપ્રેસ (13210) છે, અને બંને ટ્રેનો ફક્ત અરાહ સુધી જ ચાલશે. જે ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે તેમાં રક્સૌલ અંત્યોદય એક્સપ્રેસ (15548), ડિબ્રુગઢ એક્સપ્રેસ (15945), મગધ એક્સપ્રેસ (20802), બરૌની એક્સપ્રેસ (19483), આસનસોલ એસએફ એક્સપ્રેસ (12362), ગુવાહાટી નોર્થઇસ્ટ સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ (22450), બ્રહ્મપુત્રા મેલ (15657) સહિતની ટ્રેનોનો અન્ય કેટલીક ટ્રેનોનો સમાવેશ થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button