ઇન્ટરનેશનલનેશનલ

Nepal ને પુન: હિંદુ રાષ્ટ્ર જાહેર કરવાની માગ સાથે હિંસક પ્રદર્શન, રેલીમાં સીએમ યોગીનું પોસ્ટર, કાઠમંડુમાં કર્ફ્યુ

કાઠમંડુ : નેપાળમાં(Nepal)હિંદુ રાષ્ટ્ર અને રાજાશાહી વચ્ચે જંગ છેડાઈ છે. જેમાં નેપાળમા હિંદુ રાષ્ટ્રની પુન: સ્થાપનાની માંગ કરી રહેલા પ્રદર્શનકારીઓએ શુક્રવારે કાઠમંડુના તિનકુનેમાં હિંસક વિરોધ પ્રદર્શન કર્યું. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ એક ઇમારતમાં તોડફોડ કરી અને તેને આગ ચાંપી દીધી.

તિનકુને અને કાઠમંડુમાં કર્ફ્યુ જાહેર

આ અંગે સ્થાનિક મીડિયા અહેવાલ મુજબ, આ વિરોધ રેલી શાંતિપૂર્ણ રીતે શરૂ થઈ હતી પરંતુ અચાનક હિંસક બની ગઈ હતી. જેના કારણે પોલીસ અને વિરોધીઓ વચ્ચે અથડામણ થઈ. જેમાં ઘણા સુરક્ષા કર્મચારીઓ અને લોકો ઘાયલ થયા હતા. જેની બાદ નેપાળના ગૃહ મંત્રાલયે તિનકુને અને કાઠમંડુમાં કર્ફ્યુ જાહેર કર્યો છે.

રેલીમાં જોવા મળ્યું યોગી આદિત્યનાથનું પોસ્ટર

રાજાશાહી સમર્થકોની રેલીમાં નેપાળને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની માંગ કરવામાં આવી હતી. આ રેલીમાં, વિરોધીઓના હાથમાં યોગી આદિત્યનાથનું એક મોટું પોસ્ટર પણ જોવા મળ્યું, જેમાં તેમને હિન્દુ રાષ્ટ્રવાદના પ્રતીક તરીકે દર્શાવવામાં આવ્યા હતા.

આપણ વાંચો: નેપાળમાં ગૃહયુદ્ધ ફાટી નીકળવાની શક્યતા; સરકારને એક અઠવાડિયાનું અલ્ટીમેટમ…

ભીડ વધતી ગઈ તેમ તેમ પરિસ્થિતિ બેકાબૂ બની હતી

સવારથી જ સંયુક્ત આંદોલન સમિતિના નેતૃત્વમાં મોટી સંખ્યામાં લોકો હિન્દુ રાષ્ટ્રની પુનઃસ્થાપનાની માંગ સાથે રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. વિરોધીઓ ટિંકુને વિસ્તારમાંએકત્ર થયા હતા પરંતુ જેમ જેમ ભીડ વધતી ગઈ તેમ તેમ પરિસ્થિતિ બેકાબૂ બની હતી.

વિરોધીઓએ રસ્તાની બાજુમાં આવેલી એક બિલ્ડિંગ બારીઓ તોડી નાખી અને તેને આગ ચાંપી દીધી. સુરક્ષા ઘેરો તોડવાનો પ્રયાસ થતાં પોલીસે કાર્યવાહી કરવી પડી.

આપણ વાંચો: નેપાળમાં ફરી રાજાશાહીના સ્થાપન માટે હજારો લોકો ઊતર્યાં રસ્તા પર, કાઠમંડુમાં રાજાનું કર્યું સ્વાગત…

પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ

જેમ જેમ પ્રદર્શનકારીઓએ સુરક્ષા ઘેરો તોડવાનો પ્રયાસ કર્યો, પોલીસે તેમને રોકવા અને ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ અને ટીયર ગેસના શેલ છોડ્યા. જ્યારે પ્રદર્શનકારીઓએ બિલ્ડિંગમા તોડફોડ અને આગ લગાવી પોલીસ પર પથ્થરમારો કર્યો અને સરકારી કચેરીઓમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન ઘણા વિરોધીઓની અટકાયત કરવામાં આવી હતી. સુરક્ષા દળોની તૈનાતીમાં વધારો થયો.

સંયુક્ત ચળવળ સમિતિ અને રાજકીય સમર્થન

આ વિરોધ પ્રદર્શન નવરાજ સુબેદીના નેતૃત્વમાં સંયુક્ત આંદોલન સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું. આ આંદોલનને વિવાદાસ્પદ ઉદ્યોગપતિ દુર્ગા પ્રસાદી અને નેશનલ ડેમોક્રેટિક પાર્ટીના નેતા રાજેન્દ્ર લિંગડેન દ્વારા ટેકો મળ્યો હતો.

આ સમિતિએ માંગ કરી છે કે નેપાળને ફરીથી હિન્દુ રાષ્ટ્ર અને બંધારણીય રાજાશાહીમાં રૂપાંતરિત કરવામાં આવે. ઘણા લેફટીસ્ટ આ ચળવળને પ્રોત્સાહન આપી રહ્યા છે. જોકે, કેટલાક વર્ગો નેપાળના ધર્મનિરપેક્ષ બનવાના નિર્ણયથી નાખુશ છે.

નેપાળને ફરીથી હિન્દુ રાષ્ટ્ર બનાવવું જોઈએ

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2008 માં નેપાળને બંધારણીય રાજાશાહીમાંથી દૂર કરવામાં આવ્યું હતું અને તેને ધર્મનિરપેક્ષ ગણતંત્ર જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ કેટલાક કટ્ટરવાદી જૂથો અને હિન્દુ સંગઠનો માને છે કે નેપાળને ફરીથી હિન્દુ રાષ્ટ્ર બનાવવું જોઈએ.

તેમની દલીલ કરે છે કે નેપાળની સાંસ્કૃતિક અને ધાર્મિક ઓળખને જાળવી રાખવા માટે રાજાશાહી જરૂરી છે. જેમાં લોકો ધર્મનિરપેક્ષ સરકારથી નાખુશ છે. જ્યારે વિરોધીઓ દલીલ કરે છે કે લોકશાહી અને ધર્મનિરપેક્ષતા નેપાળની નવી ઓળખ બની ગયા છે. તેમજ રાજાશાહીનું પુનરાગમન નેપાળને પાછળ ધકેલશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button