કોઈ પણ રાજ્ય પર કોઈ ભાષાને થોપી ના શકાય! ભાષા વિવાદ પર વિદ્યા ભારતીનું મહત્વનું નિવેદન…

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય શિક્ષા નીતિ પ્રમાણે ભણાવવામાં આવતી ભાષાઓ મુદ્દે અત્યારે વિવાદ ચાલી રહ્યો છે. તેમાં RSS ની શિક્ષણ શાખા વિદ્યા ભારતી (Vidya Bharati)એ ભાષા વિવાદ અને ખાનગી શાળાઓમાં ફી વધારવાના મુદ્દા પર નિવેદન આપ્યું છે. આરએસએશની શિક્ષણ શાખાએ કહ્યું કે, દરેક વ્યક્તિ માટે હિન્દી વાંચવું અને શીખવું જરૂરી નથી. ચાલો જાણીએ શું છે આ સમગ્ર મામલો…
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ હિન્દી શીખવું જરૂરી નથીઃ રવિન્દ્ર કન્હારે
વિદ્યા ભારતીના રાષ્ટ્રીય અધ્યક્ષ (National President of Vidya Bharati) રવિન્દ્ર કન્હારે (Ravindra Kanhere)એ કહ્યું કે, વિદ્યા ભારતીનું માનવું છે કે શિક્ષા માતૃભાષામાં હોવી જોઈએ. આ વાત 1968ની શિક્ષા નીતિમાં કહેવામાં આવી હતી. અને નવી શિક્ષા નીતિમાં પણ આ વાત જ પ્રસ્તાવિત છે. કોઈ પણ રાજ્ય પર કોઈ ભાષાને થોપી ના શકાય. કહેવામાં આવ્યું કે, બાળકોનો પોતાની માતૃભાષા, એક રાષ્ટ્રીય ભાષા અને કોઈ એક વિદેશી ભાષામાં ભણવી જોઈએ. જો કોઈ તમિલનાડુનો છે, તો તે તમિલ શીખી શકે છે અથવા જો કોઈ કેરળનો છે, તો તે મલયાલમ શીખી શકે છે. તેમના માટે હિન્દી શીખવું જરૂરી નથી. નવી શિક્ષણ નીતિનો ડ્રાફ્ટ બધા રાજ્યોને મોકલવામાં આવ્યો છે.
ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે છે કે નહીં? તેનું વાલીઓ મૂલ્યાંકન કરવું જોઈએ
રવિન્દ્ર કન્હારેએ ખાનગી શાળાઓની ફી વિશે પણ વાત કરી હતી. મહાનગરોમાં ખાનગી શાળાઓમાં જે ફી વધારો કરવામાં આવી રહ્યો છે તે મુદ્દા પર કહ્યું કે, વાલીઓ દબાણ કરે તો ફી ફરીથી નક્કી કરી શકાય. વાલીઓ એ મૂલ્યાંકન કરે કે તેમના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહ્યું છે કે નહીં, જેથી તેઓ જે ફી ચૂકવી રહ્યા છે તે વાજબી છે. અને આના આધારે જ ફીનું ધોરણ નક્કી થવું જોઈએ તેવી વાત પણ ભાર મુક્યો હતો.
ફીનું ધોરણ નક્કી કરવાનું કામ રાજ્ય સરકારોનું કામ છેઃ કન્હારે
ફી મુદ્દે વાત કરતા વિદ્યા ભારતીના અધ્યક્ષે કહ્યું કે, ‘ફીનું ધોરણ નક્કી કરવાનું કામ રાજ્ય સરકારોનું કામ છે. સામાન્ય રીતે જો ફીમાં વધારો કરવો હોય તે જિલ્લા મેજિસ્ટ્રેટ હેઠળ એક સમિતિ બનાવામાં આવે. જો ફીમાં વધારો કરવામાં આવે તો આ સમિતિ તેના પર વિચાર કરી શકે છે. નોંધનીય છે કે, કન્હારેનું આ નિવેદન મહાનગરમાં ખાનગી શાળાઓ દ્વારા મનસ્વી રીતે ફી વધારા અંગે વધતી ચિંતાની પૃષ્ઠભૂમિ સામે આવ્યું છે. ભારતની રાજધાની દિલ્હીના દ્વારકામાં સ્થિત દિલ્હી પબ્લિક સ્કૂલને ઠપકો આપતા હાઈકોર્ટે કહ્યું હતું કે તે પૈસા કમાવવાનું મશીન બની ગયું છે જે વિદ્યાર્થીઓ સાથે મિલકત જેવો વ્યવહાર કરે છે’.
NCERT દ્વારા ધોરણ 12 ના પુસ્તકોમાંથી બાબરી મસ્જિદનો ઉલ્લેખ હટાવ્યો
કન્હારે અભ્યાસક્રમ વિશે પણ વાત કરી હતી. NCERT દ્વારા ધોરણ 12 ના પુસ્તકોમાંથી બાબરી મસ્જિદનો ઉલ્લેખ દૂર કર્યો છે. કન્હારે કહ્યું કે, આપણે પુસ્તકોમાં ઐતિહાસિક તથ્યોનો સમાવેશ કરવો જોઈએ. આપણે વર્ષોથી જોયું છે કે કેટલાક પુસ્તકોમાં ગેરમાર્ગે દોરતી માહિતી આપવામાં આવી છે. જો તે હવે દૂર કરવામાં આવી છે, તો તેમાં કંઈ ખોટું નથી’ વિદ્યા ભારતીના અધ્યક્ષના નિવેદનોની અત્યારે ભારે ચર્ચાઓ થઈ રહી છે.
આપણ વાંચો : આ કારણે ભાજપ-આરએસએસ કરે છે અંગ્રેજીનો વિરોધઃ રાહુલ ગાંધીનો પલટવાર…