
નવી દિલ્હીઃ છત્તીસગઢના સુકમા અને દંતેવાડા બોર્ડર વિસ્તારમાં શનિવારે સવારે સુરક્ષાકર્મીઓ અને નકસલીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં 16 નકસલીઓ ઠાર થયા હતા અને આંકડો વધી પણ શકે છે. બસ્તર આઈજીએ જણાવ્યું કે, 16 નકસલીઓના મૃતદેહ મળી આવ્યા છે. બે જવાનોને સામાન્ય ઈજા થઈ છે. હાલ સર્ચ ઓપરેશન શરૂ છે.
પોલીસના જણાવ્યા અનુસાર આ અથડામણ કેરલાપાલા વિસ્તારના જંગલમાં થઈ હતી. અહીં સુરક્ષાદળોની સંયુક્ત ટીમ નક્સલ વિરોધી અભિયાન પર નીકળી હતી. તેમાં જિલ્લા રિઝર્વ ગાડ અને સીઆરપીએફના જવાન સામેલ હતા. આ ઓપરેશન શુક્રવારે રાત્રે આ વિસ્તારમાં નકસલીઓની હાજરી હોવાની બાતમી મળ્યા બાદ શરૂ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: કઠુઆ એન્કાઉન્ટરઃ 3 જવાન શહીદ, 3 આતંકી ઠાર…
થોડા દિવસ પહેલા છત્તીસગઢના બીજાપુરમાં પોલીસ અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં 18 નકસલીઓ ઠાર થયા હતા. કાંકેરમાં પણ જવાનો અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં ચાર નક્સલી માર્યા ગયા હતા. તેમની પાસેથી હથિયાર અને દારૂગોળો મળી આવ્યા હતા. બે ઘટનામાં કુલ 22 નકસલી ઠાર થયા હતા.
આ પણ વાંચો: ભારત સાથે બગડતા સંબંધો વચ્ચે ચીન બાંગ્લાદેશની નજીક આવી રહ્યું છે? યુનુસ અને જિનપિંગ સાથે થઈ બેઠક…
દેશના નક્સલ પ્રભવિત રાજ્યોમાં નક્સલી વિરોધી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. છત્તીસગઢ અને ઝારખંડમાં નક્સલ વિરોધી અભિયાનમા આઈઇડી વિસ્ફોટો અને શસ્ત્રોની જપ્તીના કિસ્સાઓને ધ્યાનમાં રાખીને સુરક્ષા દળોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે આઈઇડી રિકવરી અને વિસ્ફોટોમાં વધારો એવા સમયે થયો છે જ્યારે સુરક્ષા દળોએ માર્ચ 2026 સુધીમાં દેશમાંથી નક્સલ દૂર કરવાના કેન્દ્ર સરકારના લક્ષ્યને પૂર્ણ કરવા માટે કામગીરી શરૂ કરી છે. નક્સલવાદીઓ તેમની પાસે હથિયારો અને દારૂગોળોનો અભાવ હોવાથી હવે સામ સામે અથડામણને ટાળી રહ્યા છે. તેથી તેઓ સૈનિકોને મારવા અથવા ઘાયલ કરવા માટે આઇઇડીનો વધુને વધુ ઉપયોગ કરી રહ્યા છે.