નેશનલ

ઓડિશામાં દોઢ ટન વિસ્ફોટક ભરેલો ટ્રક લૂંટીને નાસી ગયા નકસલીઓ, પોલીસ એલર્ટ

નવી દિલ્હીઃ ઓડિશાના રાઉરકેલામાં નકસલીઓ વિસ્ફોટકોથી ભરેલો ટ્રક લૂંટીને ફરાર થઈ ગયા હતા. ટ્રકમાં દોઢ ટન વિસ્ફોટકો ભરેલો હતો. આ ઘટના બાદ ઓડિશા અને ઝારખંડ પોલીસ એલર્ટ થઈ ગઈ હતી.

આ ટ્રક રાઉરકેલાના કેબલાંગ પોલીસ સ્ટેશનમાંથી પસાર થઈને બાંકો પથ્થરની ખાણ તરફ જતો હતો. સૂત્રો અનુસાર નકસલીઓ ટ્રકને થોભાવીને ચાલકને બંધક બનાવી લીધો હતો અને ટ્રકને જબરદસ્તીથી સારંડાના ઘાઢ જંગલમાં લઈ ગયા હતા.

નકસલવાદ ભારતના અનેક રાજ્યોમાં એક ગંભીર પડકાર બન્યો છે. છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા તેમાં અગ્રેસર છે. થોડા મહિનાઓની સુરક્ષાદળો દ્વારા નક્સલીઓ સામે ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે, જેમાં અનેક મોટા નક્સલી કમાંડર માર્યા ગયા છે અથવા તેમણે આત્મસમર્પણ કર્યું છે.

આપણ વાંચો:  ઓપરેશન સિંદૂરમાં મુરીદ એરબેઝની ભૂગર્ભ સુવિધાને પણ નિશાન બનાવી, તસવીરો જાહેર

એક સપ્તાહ પહેલા છત્તીસગઢના નારાયણપુરમાં સુરક્ષા દળો અને નકસલીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં 30 નક્સલી ઠાર થયા હતા. તેમાં નકસલી નેતા નંબાલા કેશવ રાવ ઉર્ફે બસવ રાજ પણ સામેલ હતો. બસવ રાજ પર 1 કરોડનું ઈનામ હતું અને નકસલીઓનો મહાસચિવ હતો.

ઉલ્લેખનીય છે કે 2023માં છત્તીસગઢમાં ભાજપ સરકાર બની હતી. જે બાદ રાજ્યમાં નકસલ વિરોધી અભિયાનમાં તેજી આવી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ 2026 સુધી રાજ્યને નકસલ મુક્ત કરવાની જાહેરાત કરી ચૂક્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button