આંધ્ર પ્રદેશ: નક્સલીઓ સામે પોલીસની મોટી કાર્યવાહી, ત્રણને કર્યા ઠાર…

અલ્લુરી સીતારામ: આંધ્ર પ્રદેશના અલ્લૂરી સીતારામ જિલ્લામાં સુરક્ષા દળો દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન ત્રણ નક્સલીઓનો ઠાર કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ કાર્યવાહી હાલ સુધી યથાવત્ રાખવામાં આવી છે. થોડા થોડા સમયના અંતરે ગોળીબાર થઈ રહ્યો છે, સાથે નક્સલીના એનકાઉન્ટરની સંખ્યામાં પણ વધારો થવાની સંભાવના સેવાય રહી છે. કાર્યવાહીમાં સેન્ટ્રલ કમિટીના સભ્ય ગજરલા રવિ, રવી ચૈતન્ય અને અંજુનો સમાવેશ થાય છે. સુરક્ષા દળોએ ત્રણ AK-47 રાઈફલ જપ્ત કરી છે.
જિલ્લાના એસપી અમિત બરદારે આ ઘર્ષણની માહિતી આપી હતી. માર્યા ગયેલા નક્સલીઓમાં ગજરલા રવિ ઉર્ફે ઉદય પર 40 લાખનું ઇનામ હતું, જ્યારે રવી ચૈતન્ય ઉર્ફે અરુણા પર 20 લાખનું ઇનામ હતું. અરુણા નક્સલી નેતા ચલપતિની પત્ની હતી, જેનું આ વર્ષે શરૂઆતમાં મોત થયું હતું. ચલપતિની એક સેલ્ફીએ સુરક્ષા દળોને તેના ઠેકાણા સુધી પહોંચવામાં મદદ કરી હતી.
ગજરલા રવિ, જે ગણેશ, આનંદ અને ઉદય જેવા નામોથી પણ ઓળખાતો હતો, આંધ્ર પ્રદેશના વરંગલ જિલ્લાના વેલિશાલા ગામનો રહેવાસી હતો. તે નક્સલીઓની સેન્ટ્રલ કમિટીનો સભ્ય હતો અને તેના પર સરકારે 40 લાખનું ઇનામ રાખ્યું હતું. તેના પિતાનું નામ ગજરલા મલ્લૈયા હતું. આ ઘર્ષણમાં માર્યા ગયેલા અન્ય નક્સલી અંજુ એસીએમ સ્તરની સભ્ય હતી.
પોલીસે જણાવ્યું કે ગુપ્ત માહિતીના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી, જે દરમિયાન આ ઘર્ષણ થયું હતું. રામપચોરદવરમના ડીએસપી જીએસ પ્રશાંતે કહ્યું, “નક્સલીઓના શબ હજી મળ્યા નથી, પરંતુ તપાસ ચાલુ છે.” પોલીસે વિસ્તારમાં નક્સલીઓની હાજરીની શક્યતાને ધ્યાને રાખીને નિગરાની વધારી દીધી છે. આ ઘટના નક્સલવાદ સામે સુરક્ષા દળોની સતત ચાલતી લડાઈનો ભાગ છે.
આપણ વાંચો : છત્તીસગઢઃ બીજાપુરમાં 7 માઓવાદીના શબ અને મોટા પ્રમાણમાં દારૂ ગોળો – હથિયારો મળ્યા…