નેશનલ

વિમાનોને ઉડાવી દેવાની ધમકીઓનો સિલસિલો ક્યારે અટકશે? હવે વિસ્તારાની ફ્લાઈટનું ધમકી બાદ ઇમરજન્સી લેન્ડિંગ

મુંબઇઃ છેલ્લા કેટલાક દિવસોથી સતત વિમાનોને ઉડાવી દેવાની ધમકીઓ મળી રહી છે. વિમાનો સામે મળી રહેલી ધમકીઓએ યાત્રીઓની પરેશાનીઓ વધારી દીધી છે. દરમિયાન જર્મનીના ફ્રેન્કફર્ટથી મુંબઈ જઈ રહેલી વિસ્તારાની ફ્લાઈટને સોશિયલ મીડિયા પર બોમ્બની ધમકી મળી હતી. એરલાઈન્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતર્યા બાદ ફ્લાઈટને તપાસ માટે આઈસોલેશન ફેસિલિટીમાં લઈ જવામાં આવી હતી. નોંધનીય છે કે માત્ર ચાર દિવસમાં દસથી વધુ ફ્લાઇટને આવી રીતે બૉમ્બની ધમકીઓ મળી છે. આ 13મી ઘટના છે જેમાં ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ બંને રૂટ પર ચાલતી ફ્લાઈટ્સને બોમ્બની ધમકી મળી છે.

ફ્રેન્કફર્ટ, જર્મનીથી 147 લોકોને લઈને મુંબઈ જઈ રહેલી વિસ્તારાની ફ્લાઈટને બોમ્બની ધમકી મળતાં મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. પ્લેનમાં 134 મુસાફરો અને 13 ક્રૂ મેમ્બર સવાર હતા. સવારે 7.45 વાગ્યે ફ્લાઈટ સુરક્ષિત રીતે લેન્ડ થઈ હતી. વિસ્તારાની UK 028 ફ્લાઇટે મંગળવારે રાત્રે 8.20 વાગ્યે (સ્થાનિક સમય) ફ્રેન્કફર્ટથી મુંબઈ માટે ઉડાન ભરી હતી. તેને સોશિયલ મીડિયા પર બોમ્બની ધમકી મળી હતી. ત્યાર બાદ પ્રોટોકોલ મુજબ, તમામ સંબંધિત અધિકારીઓને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી અને વિમાનનું મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતુ.

આ પહેલા બુધવારે દિલ્હીથી બેંગલુરુ જતી અકાસા એરની ફ્લાઈટ QP 1335ને ધમકી મળી હતી. સોમવારે મુંબઈ એરપોર્ટ પર ઈન્ડિગો એરલાઈન્સના બે આંતરરાષ્ટ્રીય વિમાનોને બોમ્બની ધમકી આપવામાં આવી હતી. તે જ સમયે મુંબઈથી ન્યૂયોર્ક જતી એર ઈન્ડિયાની ફ્લાઈટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ધમકી મળ્યા બાદ એર ઈન્ડિયાની ફ્લાઈટનું દિલ્હી એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

વિમાનોને ઉડાવી દેવાની ધમકીઓને કારણે યાત્રીઓ પણ પરેશાન થઇ ગયા છે. જોકે, ફક્ત ભારતમાં જ આવી ધમકીઓ મળી રહી છે એવું નથી. અમેરિકામાં પણ ફ્લાઈટને ઉડાવી દેવાની ધમકીએ લોકોને પરેશાન કરી દીધા છે. બૉમ્બની ધમકીને કારણે પ્લેન ડાયવર્ઝન થવાના લીધે લોકોને અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે.

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker