રાજા રઘુવંશી મર્ડર કેસ: આખરે કોણ હતું આ હત્યાનું માસ્ટરમાઈન્ડ?

મેઘાલયના શિલોંગમાં હનીમૂડની આડમાં પતિની હત્યા કરનાર સોનમે આરોપનો સ્વીકારી લીધો છે. આ કેસની તપાસમાં રોજ રોજ નવા પાસા ખુલી રહ્યા છે. રાજા રઘુવંશી હત્યાકાંડની તપાસમાં ફરી એક મોટો ખુલાસો થયો છે. આ કેસમાં સોનમ રઘુવંશી સહિત તમામ આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે. તપાસમાં સૌથી મોટો ખુલાસો એ થયો છે કે આ ખુની રમતનો માસ્ટરમાઈન્ડ સોનમ નહીં, પરંતુ તેનો કથિત પ્રેમી રાજ કુશવાહા છે. આ ઘટનાએ દેશભરમાં ચકચાર મચાવી દીધી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે રાજા રઘુવંશીની હત્યા કોઈ કોન્ટ્રેક્ટ કિલિંગ ન હતી. રાજ કુશવાહાએ પોતાના ત્રણ મિત્રો વિશાલ, આનંદ અને આકાશની મદદથી આ હત્યાની યોજના બનાવી હતી, જેમાં તેનો પિત્તરાય ભાઈ પણ સામેલ હતો. સોનમે આ ષડયંત્રમાં રાજનો સાથ આપ્યો. હત્યા સોહરામાં કરવામાં આવી, જ્યાં આરોપીઓએ રાજાની હત્યા કરી તેના મૃતદેહને ખાઈમાં ફેંકી દીધો.
ઉલ્લેખનીય છે કે, પોલીસ તપાસમાં જણાવા મળ્યું કે, આ હત્યાની પ્લાનિંગ ચાર વખત કરવામાં આવી હતી. ચારમાંથી ત્રણ વખત પ્લાનિંગ નિષ્ફળ રહ્યો હતો. ફેબ્રુઆરીમાં રાજે સોનમને ગાયબ કરવાના બે પ્લાન બનાવ્યા, પરંતુ બંને નિષ્ફળ ગયા. 11 મેના રોજ સોનમના રાજા સાથે લગ્ન થયા બાદ, ગુવાહાટીમાં હત્યાનો પ્લાન નિષ્ફળ ગયો. આખરે સોહરામાં 19 મેના રોજ હત્યા અંજામ આપવામાં આવી. સોનમે હત્યારાઓને રેઈનકોટ આપ્યો અને પોતે સ્કૂટી ચલાવીને નાસી છૂટી.
હત્યા બાદ સોનમ ગુવાહાટીથી સિલિગુડી, પટના, આરા, લખનૌ થઈ ઈન્દોર પહોંચી. જ્યારે પોલીસે આરોપીઓની ઓળખ કરી, ત્યારે રાજે સોનમને પોતાના પરિવારને ફોન કરીને અપહરણમાંથી છૂટી હોવાનું કહેવા જણાવ્યું. પોલીસે પાંચેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને ક્રાઈમ સીન રિક્રિએટ કરવાની તૈયારીમાં છે.
આ પણ વાંચો…રાજા રઘુવંશી હત્યા કેસ: ‘ભાઈ બહેન’ના સંબંધ આડમાં ખેલાયો ખૂની ખેલ