વડા પ્રધાન મોદી આ તારીખે જશે બિકાનેર, કરણી માતાના મંદિરે પણ જશે

બિકાનેર: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજસ્થાનના પ્રવાસે જઈ રહ્યા છે. આ દરમિયાન તેઓ બિકાનેરમાં આવેલા પ્રસિદ્ધ કરણી માતાના મંદિરમાં દર્શન કરવા જવાના છે. વડા પ્રધાન મોદી આગામી 22 મેના રોજ કરણી માતાના મંદિરમાં દર્શન કરશે.
આ દરમિયાન વડા પ્રધાન મોદી સાથે કેન્દ્રીય રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવ અને રાજસ્થાનના મુખ્ય પ્રધાન ભજનલાલ શર્મા પણ ઉપસ્થિત રહેશે. પીએમ મોદી જે મંદિરે જઈ રહ્યા છે તે મંદિર રાજસ્થાન સહિત ગુજરાતમાં પણ ખૂબ મોટું આસ્થાનું કેન્દ્ર છે. તો ચાલો જાણીએ કરણી માતા મંદિરના ઇતિહાસ અને તેની માન્યતા વિશે.
આપણ વાંચો: વડા પ્રધાન નરેન્દ્ર મોદી 30 માર્ચે નાગપુરમાં
રાઠોડ રાજવીઓનાં આરાધ્ય દેવી
રાજસ્થાનનાં બિકાનેરમાં કરણી માતાનું મંદિર ખૂબ જ લોકપ્રિય છે. આ મંદિર કરણી માતાને સમર્પિત છે, કરણી માતા ચારણ કુળમાં થઈ ગયેલા એક લોક દેવી છે અને લોકો તેમને રક્ષા કરનારી દેવી દુર્ગાનો અવતાર માને છે. કરણી માતા તપસ્વીનું જીવન જીવતા, અહીં રહેતા લોકોમાં તેમની પૂજા કરવામાં આવે છે.
કરણી માતા જોધપુર અને બિકાનેર પર શાસન કરનારા રાઠોડ રાજવીઓનાં આરાધ્ય દેવી છે.અને કરણી માતાની કૃપાથી જ મેહરાનગઢ અને બીકાનેર રાજ્યની સ્થાપના થઈ હતી. કરણી માતાને સમર્પિત ઘણા મંદિરો રાજસ્થાનમાં આવેલા છે, પરંતુ બિકાનેરથી 30 કિલોમીટર દૂર દેશનોકમાં સ્થિત આ મંદિરની સૌથી વધુ માન્યતા છે.
આપણ વાંચો: ગુજરાતના ખેડૂતોને વડા પ્રધાન નરેન્દ્ર મોદી કરશે વર્ચ્યુઅલ સંબોધન, ૨.૫0 લાખથી વધુ ખેડૂતો જોડાશે…
ક્યારે બન્યું આ મંદિર?
કરણી માતા મંદિરનું નિર્માણ 20મી સદીની શરૂઆતમાં બિકાનેરના મહારાજા ગંગા સિંહે કરાવ્યું હતું. મંદિરની સંપૂર્ણ રચના આરસમાંથી બનેલી છે અને તેની સ્થાપત્ય મુઘલ શૈલી સાથે મળતું આવે છે.
બીકાનેરની કરણી માતાની મૂર્તિ મંદિરના ગર્ભગૃહની અંદર બિરાજમાન છે, જેમાં તેઓ એક હાથમાં ત્રિશૂળ ધારણ કરે છે. દેવીની મૂર્તિ સાથે તેમનાં બહેનોની મૂર્તિ પણ બંને બાજુએ છે.
આપણ વાંચો: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે મુંબઈની મુલાકાતમાં મહાયુતિના વિધાનસભ્યોને મળશે
આ મંદિર 25,000થી વધુ ઉંદરોનું ઘર

બિકાનેરમાં કરણી માતાના મંદિરની લોકપ્રિયતા તેના સ્થાપત્ય માટે નથી, પરંતુ અન્ય એક બાબતથી છે. જે આ મંદિરને અન્ય મંદિરો કરતાં જુદું પાડે છે. કારણ કે આ મંદિર 25,000થી વધુ ઉંદરોનું ઘર છે.
આખા મંદિરમાં તમને ઊંદરો ફરતા જોવા મળે છે. સામાન્ય રીતે કોઈ પણ ઉંદરોનો એંઠવાડ ખાવાને બદલે ફેંકી દે છે, પરંતુ અહીં ભક્તોને ઉંદરોનો એંઠવાડ પ્રસાદ તરીકે આપવામાં આવે છે. આ મંદિરની પવિત્ર પરંપરા રહી છે. આ જ કારણ છે કે ભારત અને વિદેશથી અનેક લોકો આ અદ્ભુત દૃશ્ય જોવા માટે આવે છે.