મોદી સરકારના 11 વર્ષ થયા પૂર્ણઃ પડકારો છતાં વધુ મજબૂત થઈ સરકાર

નવી દિલ્હીઃ નવમી જૂન, 2024ના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે પોતાના ત્રીજા કાર્યકાળ માટે શપથ લીધા ત્યારે 543 સભ્યોના ગૃહમાં 400થી વધુ બેઠક જીતવાના ચૂંટણીના દાવા વચ્ચે લોકસભા ચૂંટણીમાં ભાજપે અણધારી રીતે બહુમતી ગુમાવ્યા બાદ રાહુલ ગાંધી ખૂબ ઉત્સાહિત દેખાતા હતા.
રાહુલ ગાંધીએ તે સમયે કહ્યું હતું કે અમે મોદીને માનસિક રીતે ખતમ કરી દીધા છે. તેમની સરકાર ટૂંક સમયમાં જ પડી જશે. કારણ કે ટીકાકારો ટીડીપીના એન ચંદ્રબાબુ નાયડુ અને જેડી(યુ)ના નીતિશ કુમાર પર ભાજપ સરકારની નિર્ણાયક નિર્ભરતા અને ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા મોટા રાજ્યોમાં ભાજપના નબળા પ્રદર્શનને રાજકીય ઉથલપાથલની આગાહી કરતા જોવા મળ્યા હતા.
સોમવારે મોદી સરકાર ત્રીજા કાર્યકાળમાં તેની પ્રથમ વર્ષગાંઠ અને એકંદરે 11મી વર્ષગાંઠ ઉજવી રહી છે, ત્યારે વડા પ્રધાન એટલા જ સુરક્ષિત અને આત્મવિશ્વાસથી ભરપૂર જોવા મળ્યા હતા. જ્યારે તેમના બે સાથીઓ વિપક્ષની આશા મુજબ અવિશ્વસનીય કાખઘોડી સાબિત થયા નથી પરંતુ તેમના નેતૃત્વની પ્રશંસા કરતા કરતા એક મજબૂત આધારસ્તંભો બની ગયા છે.
ભાજપે તેના રાજકીય અને પ્રશાસનિક સંપર્કને ફરીથી સ્થાપવા માટે ફરીથી તૈયારીઓ શરૂ કરી હતી અને વિધાનસભા ચૂંટણીઓમાં આશ્ચર્યજનક રીતે મોટી જીત મેળવીને ફરીથી ગતિ મેળવી હતી. બીજી તરફ મુખ્ય વિપક્ષ કોંગ્રેસ અને અન્ય ઈન્ડિયા ગઠબંધનના પક્ષોમાં ફરીથી આશાવાદનો સંચાર થઇ શક્યો નહી.
ભાજપે હરિયાણા અને મહારાષ્ટ્રમાં પોતાની કલ્યાણકારી યોજનાઓ અને ક્ષેત્રીય નેતૃત્વના દમ પર સ્થિતિને બદલી હતી જ્યાં તેમને લોકસભા ચૂંટણીમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આખરે 26 વર્ષ પછી આમ આદમી પાર્ટીના તેના કટ્ટર વિરોધી અરવિંદ કેજરીવાલને હરાવીને દિલ્હી પર કબજો કર્યો હતો.
ભાજપ હવે એક વર્ષ પહેલા રાષ્ટ્રીય ચૂંટણીમાં ગુમાવેલી જમીન પાછી મેળવ્યા પછી એક નવો રાજકીય હુમલો કરવા માટે તૈયાર દેખાય છે જ્યારે વિપક્ષ ફરીથી વિખેરાઇ ગયો છે. કોંગ્રેસ એક રાજ્યમાં જોરદાર ચૂંટણી જીતની શોધમાં છે.
પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળની ટીએમસી અને કેજરીવાલ જેવા અન્ય ભાજપના હરીફો કોંગ્રેસથી દૂર થઈ ગયા છે અને શિવસેના (યુબીટી) અને એનસીપી (એસપી) જેવા પક્ષોનું ભવિષ્ય અનિશ્ચિત છે. દિલ્હી યુનિવર્સિટીમાં રાજકીય વિજ્ઞાનના એસોસિયેટ પ્રોફેસર મનોજ કુમાર વિપક્ષ દ્ધારા મોદી વિરુદ્ધ લડાઇમાં નિષ્ફળ રહ્યા વચ્ચે મોદીના અવિશ્વસનીય નેતૃત્વ પર ભાર મૂકે છે.
તેમણે કહ્યું કે રાજકારણમાં કોઈપણ સમયે, હંમેશા તકો અને પડકારો હોય છે. પરંતુ એવું લાગે છે કે જ્યાં સુધી પીએમ મોદી છે ત્યાં સુધી તેમનો કોઈ ગંભીર વિકલ્પ નથી, તેઓ કહે છે, ઓપરેશન સિંદૂર હેઠળ લશ્કરી કાર્યવાહીએ રાષ્ટ્રીય હિતમાં કાર્ય કરતા નેતા તરીકે તેમની છબી ફરીથી મજબૂત બનાવી છે.
તેઓ સ્વીકારે છે કે વિપક્ષના મુદ્દાઓ જાતિ વસ્તી ગણતરી અને બંધારણ માટે કથિત ખતરા ઉપરાંત પ્રાદેશિક પરિબળો અને ભાજપની આત્મસંતુષ્ટિએ 2024 માં શાસક પક્ષને આંચકો આપશે.