મોદી સરકારનો મોટો નિર્ણય, રાજઘાટ પર બનશે પૂર્વ રાષ્ટ્રપતિ Pranab Mukherjee નું સ્મારક

નવી દિલ્હી : દિલ્હીના રાજઘાટ પર પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું સ્મારક બનાવવાની માંગ વચ્ચે કેન્દ્ર સરકારે દિલ્હીમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું સ્મારક (Pranab Mukherjee memorial)બનાવવાની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સમિતિ સંકુલમાં પ્રણવ મુખર્જીનું સ્મારક બનાવવા માટે જગ્યા મંજૂર કરી છે. પ્રણવ મુખર્જીની પુત્રી શર્મિષ્ઠા મુખર્જીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળીને આ માટે આભાર વ્યક્ત કર્યો છે. શર્મિષ્ઠા મુખર્જીએ કહ્યું કે અમે આ માટે કોઈ માંગ પણ કરી નથી..
આ પણ વાંચો: શું ઈન્દિરા ગાંધીની ભૂલથી ખતમ થયેલા One Nation, One Electionને મોદી સરકાર સુધારી શકશે? જાણો
નરેન્દ્ર મોદી અને તેમની સરકારનો હૃદયપૂર્વક આભાર
શર્મિષ્ઠા મુખર્જીએ પીએમ સાથેની તેમની મુલાકાતની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. તેમણે લખ્યું, પ્રધાનમંત્રીને મળી. મારા પિતાના સ્મારક બનાવવાના નિર્ણય માટે પીએમ નરેન્દ્ર મોદી અને તેમની સરકારનો હૃદયપૂર્વક આભાર .
પીએમ મોદીએ પિતાની યાદમાં આ કર્યું
શર્મિષ્ઠા મુખર્જીએ કહ્યું, અમે આની માંગણી કરી ન હતી પરંતુ તેમ છતાં આ નિર્ણય લેવામાં આવ્યો. હું પ્રધાનમંત્રીના આ નિર્ણયથી અભિભૂત છું. તેમણે લખ્યું, પિતા કહેતા હતા કે રાજ્ય સન્માન ન માંગવું જોઈએ, આપવું જોઈએ. હું ખૂબ આભારી છું કે પીએમ મોદીએ પિતાની યાદમાં આ કર્યું. પિતાને કોઈ ફેર નથી પડતો તે જ્યાં છે ત્યાં વખાણ કે ટીકાથી પર છે. પરંતુ તેમની પુત્રી માટે આ ખુશી વ્યક્ત કરવા માટે કોઈ શબ્દો નથી.
કેન્દ્ર સરકારે આદેશ કર્યો
કેન્દ્ર સરકાર વતી શહેરી અને આવાસ મંત્રાલયે તેના આદેશમાં લખ્યું છે કે, સક્ષમ સત્તાધિકારીએ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. પ્રણવ મુખર્જીની સમાધિની સ્થાપિત કરવા માટે રાષ્ટ્રીય સ્મૃતિ પરિસરમાં મંજૂરી આપી છે.