નેશનલ

પીએમ મોદીના નેતૃત્વમાં સરકારના 11 વર્ષ પૂર્ણ, જે.પી. નડ્ડાએ ગણાવી અનેક સિદ્ધિઓ

નવી દિલ્હી : દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ભાજપ સરકારે 11 વર્ષ પૂર્ણ કર્યા છે. આ વર્ષો દરમિયાન ભારતે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. જે અંગે ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડાએ નવી દિલ્હીમાં ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જેમાં તેમણે સરકારની સિદ્ધિઓ ગણાવી હતી.

તેમણે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની રાજકીય સંસ્કૃતિ બદલીને એક નવા યુગની શરૂઆત કરી છે. જ્યાં તુષ્ટિકરણનું સ્થાન જવાબદારી, પારદર્શિતા અને વિકાસે લીધું છે. જે.પી.નડ્ડાએ પીએમ મોદીના નેતૃત્વ હેઠળની સરકારને એક મજબૂત સરકાર ગણાવી અને કહ્યું કે આ એક એવી સરકાર છે જે મજબૂત નિર્ણયો લે છે અને આર્થિક શિસ્ત લાવે છે.

આપણ વાંચો: હવે હરિયાણાની ભાજપ સરકારે નવો આદેશ બહાર પાડ્યો, બાળકો ગૂડ મોર્નિગને બદલે જય હિન્દ બોલશે

નાગરિક માને છે કે મોદી હૈ તો મુમકીન હૈ

જે.પી.નડ્ડાએ ભારપૂર્વક જણાવ્યું કે મોદી સરકારે એક નવી વ્યવસ્થા સ્થાપિત કરી છે. આ એક એવી સરકાર છે જે ભવિષ્ય માટે કામ કરે છે. પહેલાની સરકારો ભ્રષ્ટાચારમાં ડૂબેલી હતી અને તુષ્ટિકરણમાં માનતી હતી. પરંતુ આ સરકાર નકારાત્મકતાથી સકારાત્મકતા તરફ આગળ વધી રહી છે.

તેમજ આજે ભારતનો સામાન્ય નાગરિક માને છે કે મોદી હૈ તો મુમકીન હૈ. તેમણે સરકારની ત્રણ મુખ્ય સિદ્ધિઓ વિકાસ સંશોધન અને નવીનતા અંગે વાત કરી હતી. તેમણે કહ્યું, પ્રદર્શન, સુધારા અને પરિવર્તનનો મંત્ર અમારી નીતિઓમાં દેખાય છે. અમે “સબકા સાથ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસ ” ના સિદ્ધાંતને અપનાવ્યો છે.

આપણ વાંચો: હવે હરિયાણાની ભાજપ સરકારે નવો આદેશ બહાર પાડ્યો, બાળકો ગૂડ મોર્નિગને બદલે જય હિન્દ બોલશે

અમારી સરકારે મહિલાઓને સન્માન અને અધિકારો આપ્યા

ભાજપ અધ્યક્ષે સરકારના કેટલાક ઐતિહાસિક નિર્ણયોનો ઉલ્લેખ કર્યો જેમાં કલમ 370 નાબૂદ, ટ્રિપલ તલાકનો સમાવેશ થાય છે. કલમ 370 નાબૂદનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, દેશે સ્વીકાર્યું હતું કે આ શક્ય નથી.

પરંતુ મોદી સરકારે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરી. લોકસભામાં મતદાન 58.46 ટકા હતું.જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં મતદાન 63 ટકા હતું. આ પરિવર્તન મોદી સરકારના બોલ્ડ નિર્ણયને કારણે આવ્યું છે.ટ્રિપલ તલાક નાબૂદ કરીને અમારી સરકારે મહિલાઓને સન્માન અને અધિકારો આપ્યા.

આપણ વાંચો: આમ આદમી પાર્ટીની સરકારે કેગના 14 રિપોર્ટ દબાવ્યાનો ભાજપનો આરોપઃ વિધાનસભા સત્ર બોલાવવાની કરી માંગ…

ભારતનું અર્થતંત્ર સતત અગ્રેસર

તેમણે કહ્યું કે સરકારે દેશ અને સમુદાયના હિતને મજબૂત કરવા માટે નવો વકફ કાયદો બનાવ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે અમારી સરકારે નાગરિકતા સુધારો કાયદો ,નોટબંધી, મહિલા અનામત અને બજેટ સુધારા જેવા પગલાં લીધાં છે. ભારત ટૂંક સમયમાં વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બનવા જઈ રહ્યું છે.

વિદેશી હૂંડિયામણ ભંડાર, નિકાસ અને વિદેશી સીધા રોકાણ માં વધારો થયો છે. કર વસૂલાતમાં 238 ટકાનો વધારો થયો છે. નડ્ડાએ કહ્યું, તમામ પ્રતિકૂળ પરિસ્થિતિઓ છતાં ભારતનું અર્થતંત્ર મજબૂત રીતે આગળ વધી રહ્યું છે. આ સરકાર પારદર્શિતાનું નવું ઉદાહરણ સ્થાપિત કરી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button